SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ જ્ઞાન પ્રચારક મંડળ ગળગળે સાદે કહ્યું: “મને માફ કર. સંસાર તરફ મારું મન નથી.” એમાં માફ કરવા જેવું શું છે? પણ માતાજી માનતાં નથી. આખરમાં આપણું નામ રાખવા વારસદાર તો જોઈશે ને ? નામ રાખે તેવો વારસદાર ? અરે, એ માટે તો યત્ન કરું છું. અમર વારસદાર, જે મરે નહીં, કુળ લજવે નહી, કુળને કલંક લગાવે નહીં; આપણું નામ યાવરચંદ્રદિવાકરી રાખે એ ! એક એક નહીં પણ બે વારસદાર આપીશ.” આ મહાન વૈયાકરણીએ બે પુસ્તકો રચ્યાં. આજે એણે બનાવેલાં વ્યાકરણનાં બે પુસ્તફેમાંથી એક પણ ભણનાર કુશળ વિદ્વાન બની જાય છે. આપણા ચરિત્રનાયકની ઈરછા એવા શિષ્યોની હતી, કે જે અમર હોય, સદા અમૃતરૂપ હોય ને કદી નષ્ટ ન થાય કે ભાગી ન જાય, અને એ માટે તેમણે મનેમન નિરધાર કર્યો કે પેલા પૂજનીય-બાલબ્રહ્મચારી સાધુરાજની જેમ મારે પણ એકસો આઠ શિષ્ય બનાવવા, પણ તે ગ્રંથરૂપે. મારી પાછળ જે સદા ચમક્યા કરે, મારા જ વિચારોને મૂર્ત કર્યા કરે, ને ભારતવર્ષમાં જ્યાં જાય ત્યાં સહનું કલ્યાણ કરે. સામ્રગી–સાધન તૈયાર હતાં. માતાના ગર્ભમાંથી ચિંતનશીલ સ્વભાવ મળ્યો હતો. કુળમાંથી પરિશ્રમને ગુણ સાંપડયો હતો. કુદરતે કવિત્વ બક્યું હતું ને મહાન શાસ્ત્રીઓએ વિદ્વત્તા બક્ષી હતી. ઉપર ગુરુદેવના આશીર્વાદ હતા. સુતાં, બેસતાં, જંગલ જતાં કે વિહાર કરતાં એક જ વાતની રટમાળ ચાલ્યા કરતી. કેટલીક વાર અરધે રસ્તે આવેલે વિચાર સ્વસ્થાનકે આવીને તરત નેંધવા બેસી જતા. ખાવાનું, પીવાનું કે બીજું મોડું થાય તેની પરવા નહતી. આ બધુ લખાઈને તો તૈયાર થાય, પણ અત્યારના વીજળીક શકિતના યુગમાં એને છપાવવાનું, તૈયાર કરવાનું ને વહેંચણી કરવાનું કાર્ય કરનાર કઈ સંચાલક શકિત તે હેવી ઘટે ને ! એ માટે ચરિત્રનાયકે એક મંડળના નિર્માણની યોજના ઘડી. એ મંડળ પિતાના ગ્રંથ-શિષ્યને છેવું રૂપ આપે, વ્યવસ્થિત રાખે ને યોગ્ય વહેંચણી કરે. ચરિત્રનાયકને મન આ પ્રસંગ અત્યંત મહત્તવન હતું એટલે તેમણે કંકોતરી લખી શ્રાવકોને તેડાવી ઉત્સવ ઊજવવાની ચેજના કરી. માણસાના શ્રાવકે હોંશીલા હતા. તેઓ ખર્ચ માટે તૈયાર હતા. શેઠ વીરચંદ કણુજીએ તમામ મહેમાનોને જમાડવાનો ભાર પોતે ઉઠાઃ બીજાઓએ બીજી જવાબદારી સ્વીકારી. શ્રી સંઘે પણ પિતાને આંગણે આવું સુંદર કાર્ય થતું હોય તે ઉત્સાહ દાખવ્યાઃ પણ બધાએ વિનંતી કરી કે રાજ તરફથી સભા-સરઘસની બંધી છે. ગમે તેટલી મહેનત કરીએ પણ એ ફેક છે. “એટલી જવાબદારી મારે માથે.” ચરિત્રનાયકે પિતાના સંબંધની અપેક્ષાએ એ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy