SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૧૦ ] ગુજરાતના પાટનગરમાં 'જરાતનું પાટનગર બડભાગી છે. સુભગ સલિલા સાબરમતીને તીરે એ વસેલું છે. પ્રાચીન કાળમાં દધીચી ઋષિનાં પોપકારી હાડ ત્યાં પડેલાં છે, ને અર્વાચીન કાળના મહાન સંતનાં આશ્રમ પણ ત્યાં છે. અહીં જ રાષ્ટ્રસંમેલન ભરાયાં છે, તે મુનિસંમેલન પણ અહીં થયાં છે. અહીં જ કર્ણ રાજાની કર્ણાવતીનાં ખંડેર છે, અહીંની જ પવિત્ર રજ પર “કલિકાલસર્વજ્ઞનાં કલ્યાણ પગલાં પડેલાં છે. ચાર મહાન મુસ્લિમ સંતોએ આ વર્તમાન નગરીને પાયો નાખ્યો છે, ને ચાર ચાર મહાન સંતનતનાં સિંહાસને ત્યાં મંડાઈ ગયાં છે. મહાન લેખક અબુલફજલ અમદાવાદને દુનિયાનું બજાર કહેતો. આ બજારના સ્વામી જૈન મહાજન હતા. એ જેનોને ઈતિહાસ અદ્ભુત છે. બંગાળના જગતશેઠોની જેમ અહીંના નગરશેઠે પણ ઇતિહાસપ્રસિદ્ધ છે. એમની આંટ દિલ્હીના દરબારથી લઈને નાના રાજરજવાડાં સુધી ચાલતી. એમનું મન દુઃખાવતાં મોટા મેટા મહારાજાએ ડરતા. એ ધનકુબેર હતા એટલું જ નહિ-નગરકુબેર પણ હતા. એમની સમૃદ્ધિને સ્ત્રોત એકલા એમના પ્રાસાદને નહીં, શહેરને અને પ્રાંતને રક્ષ. દુકાળ, દુઃખ વખતે એ પહેલે રહેતો. અહી ધન સાથે ધર્મને પણ સંગ હતું, એટલે ધર્મ ધોરી પુરુષો અહીં આવી વસતા ને પોતાની ધર્મ પ્રભાવના કરતા. મુંબઈ બંદર તો હમણું ફાવ્યું. પહેલાં તે એ રસ્તે સૂરત છેલ્લું આવતું. મુંબઈ જવાને જમીન રસ્તો પણ થોડા વખતથી જ થયે હત–એટલા થોડા વખતથી મુનિરાજો એ તરફ જવા માંડયા હતા, પણ અમદાવાદની ધરા પર તે સાધુપુંગના સમુદાયે પડયા-પાથર્યા રહેતા. મહાન પ્રભાવક શ્રી. નેમિસાગરજી, શ્રી. બુટેરાયજી, શ્રી. મુલચંદ્રજીના જમાનામાં આ પાટનગરી ખરેખર ધર્મનગરી બની ગઈ હતી. શ્રી પ્રત્યેની For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy