SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuni Cyanmandir યુગ તરફ ૨૧૧ થાએ જાણી લીધી, ને ઠેઠ હઠગ સુધી પહોંચી ગયા. સ્વામીજી પણ આ મુનિની જ્ઞાનદશા જોઈ ખૂબ પ્રસન્ન થયા, ને એ સંબંધ ઉત્તરેત્તર આત્મીય ભાવ સુધી પહોંચે. બારીઆ મહાદેવનાં ખેતરો, એની આમ્રકુંજે, એનું ભૂગૃહ બધામાં મુનિરાજે સ્વેચ્છાએ પિતાની સમાધિનું કાર્ય આગળ ધપાવ્યું. યોગાભ્યાસ પણ વધાર્યો ને હીપ્નોટીઝમ તથા મેમેરીઝમનું પણ જ્ઞાન મેળવ્યું. વિ. સં. ૧૯૯૧ નું ચાતુર્માસ નજીક હતું. આમ્રવૃક્ષો ફળેથી લચેલાં હતાં, ને મોગરાની લહેર બહાર છોડી રહી હતી. જેઠ મહિને બેસી ગયો હતો ને આકાશમાં વાદળીઓને ટોળે વળતી જઈ મોરલાએ ટહુકાર કરી રહ્યા હતા. વર્ષાના દિવસે નજીક હતા. મુનિરાજે વીજાપુરના સંઘની વિનંતી સ્વીકારી વીજાપુર ચાતુર્માસ માટે ગયા વીજાપુરના ચાતુર્માસ દરમિયાન સવારના ઉપાશ્રયમાં વ્યાખ્યાન વાંચવા સિવાય તેઓ ગ્રંથ લખતા, ભજન બનાવતા, ને રાત્રિના વખતે હઠયોગનો સમાધિમાં ડૂબી જતા. હવે તેઓને સમાધિમાં ખૂબ આત્માનંદ મળવા લાગ્યો. ચિત્તતંત્ર પર પણ અજબ કાબૂ આવી ગયો ને કલાકોના કલાક સુધી સમાધિસ્થ રહેવા લાગ્યા. જેમ સમાધિનો અભ્યાસ વધવા લાગ્યો, એમ સ્વાભાવિક રીતે અન્ય હળવો બાબતે પ્રત્યે તેઓ બેપરવા બનવા લાગ્યા. નાની નાની સાંપ્રદાયિક વાતો તરફ ઓછું લક્ષ આપવા માંડયું. હવે તો કઈ વાર ત્રણ ત્રણ દિવસની સમાધિ લાગી જતી, ને તે વેળા તેઓ કઈ દિવ્ય આનંદમાં જગત આખુ વિસરી જતા. ચુસ્ત મનોદશાવાળા લેકે પોતાની કેવી ટીકા કરે છે, તે પણ આ રસમાં સાંભળી ન સાંભળી કરતા. પિતાના જ શિરછત્રો ને સડકારીએ આ વર્તણુંકથી કંઈક ખેંચાયેલા રહેતા; પણ જે રસનો પ્યાલો એમણે મોંએ માંડે હતો, એ એ અદ્દભુત હતા કે છાંડી શકાય એમ નહોતે. જગને ગમે તે કહે. એ દશા એવી વધી ગઈ કે બેએક વર્ષ બાદ એક વાર આજેલથી ભેદરા જવાનું કહીને ચરિત્રનાયક નીકળ્યા. એક,બે, ત્રણને ચાર દિવસ વીતી ગયા. ન કંઈ સર કે સમાચાર! લોદરાના શ્રાવકે આજોલ ગયા ને જ્યારે તેમને પુછાયું કે મહારાજશ્રી લોદરા આવ્યા છે, ત્યારે તેઓએ ના પાડી. ચર્ચા વધી જતાં તપાસ શરૂ થઈ. તેઓશ્રી ઘણી વાર બેરીઆ મહાદેવ તરફ જતા, એટલે કે ત્યાં તપાસ કરવા ગયા. સ્વામી સદાનંદ સરસ્વતીને પૂછયું, તે તેઓ કહે “મને કંઈ ખબર નથી. જોયરામાં તપાસ કરો.” બધા ભોંયરા તરફ ચાલ્યા, તો સામેથી હસમુખે ચહેરે મુનિરાજ ચાલ્યા આવતા હતા. “બાપજી, ચાર ચાર દહાડાથી ક્યાં હતા. શું ખાવું-પીધું ?” “તમને શું કહું? એની ગમ તમને નહીં પડે. આતમરસક પિયાલા, પીએ કે મતવાલા !” મહારાજશ્રી બેલ્યા ને પછી આગળ કંઈ જવાબ ન આપ્યો. આ જ બારીઆ મહાદેવ પર એક વાર માણસાના ઠાકર રાળજી સાથે પ્રસંગ For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy