SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org બહેચરદાસમાંથી બુદ્ધિસાગર ૧૮૭ બુધ્ધિસાગર એવું નામ, અને મા સાધુશરીરની આકૃતિ તે રૂપ, તે એમાં હું આત્માના અભ્યાસ ધારીશ નહીં. દેહમાં અને નામમાં આત્મા નથી, તેથી વ્યવહારમાં નામરૂપને વ્યવહારે વ તે છતા નિસંગી રહીશ. બુધ્ધિસાગર નામ અને જે દેહમાં આ આત્મા રહ્યો છે, તેને સાક્ષીરૂપે દેખીશ, અને બુધ્ધિસાગર નામ તથા દેહની કાઇ સ્તુતિ-નિંદા કરશે તે તેનાથી હર્ષોં-શાક ધારીશ નહીં. કદાચ ભૂલ તે પણ તરત આત્માના ઉપયેાગથી પ્રતિક્રમણ કરી નામરૂપમાં નિહપણે વીશ. 66 Acharya Shri Kailassagarsuri Gyanmandir પુણ્યના યેાગે કીર્તિ, યશ, સ્તુતિ ભાગવાય છે, અને પાપના ચેાગે નિંદા, અપકીતિ થાય છે. તેથી બન્ને કના વિપાક સમજી તેમાં સમભાવે વતી શ. ” શહેરના માર્ગ પરના ઝરૂખા સ્ત્રી-પુરુષાથી ભરપૂર હતા. ચારે તરફથી પુષ્પવૃષ્ટિ થતી હતી. બહેચરદાસ પેાતાની મન:સૃષ્ટિમાં મશગૂલ હતા. સ્વગુરુ પર શુધ્ધ પ્રેમ-શ્રધ્ધા ધારણ કરીશ, પણ અન્યના ગુરુની નિંદા કરીશ નહીં. સમભાવે સુ-ગુરુ ને કુ-ગુરુનું સત્ય સ્વરૂપ સમજીશ. ગચ્છસંઘાડાના ભેદથી મેહ, વેર, ઇર્ષ્યારૂપ ક પ્રકૃતિને તાબે થઇશ નહીં. હું તપાગચ્છની ક્રિયાદિ ધર્યું–માન્યતાને સ્વીકારું છું, પણ અન્ય ગચ્છ-સંઘાડાની ભિન્ન માન્યતાથી તેઓ પર દ્વેષ, ઈર્ષ્યા ન કરીશ, ને તેઓને સ્વધમી –આત્મધમી જાણીશ. અન્ય ગચ્છ-સ’ઘાડાઓને હલકા પાડવા, તેઓના સાધુઓની નિંદા કરીશ નહીં પણ તેઓ જૈનધમી સામિક આત્માઓ છે, એમ માનીશ, “ હું કામને જીતવા માટે પાંચ ઇન્દ્રિયાના તેવીસ વિષયામાં રાગદ્વેષ ધરીશ નહી, આંખથી સ` પદાર્થો દેખવા છતાં તેમાં લેપાઇશ નહી'. નાકથી શુભાશુભ ગંધને જાણવા છતાં તેમાં રાગ-દ્વેષ ધારીશ નહીં. કર્ણથી સચિત-અચિત-શુભાશુભ-સ્તુતિ-નિદ્રા વગેરે શબ્દોને શ્રવણ કરવા છતાં તેમાં મૂંઝાઇશ નહી. જિવાથી સરસ-વિરસ સ્વાદોને આસ્વાદવા છતાં તેમાં આસિકત ધારીશ નહી. ચામડીથી, ત્વચાથી આઠ પ્રકારના સ્પર્ધાને રાગદ્વેષ વિના નાણીશ. અને સ્પથી સુખ થાય છે, એવી બુધ્ધિથો ચામડી--ભેાગમાં પડી ચામડીઓ બનીશ નહી દુન્યવી સુખા માટે કંચન-કામિનીના ખપ પડે છે. કંચન-કામિનીને મેળવવા અનંત દુઃખા વેઠવાં પડે છે, અને સુખ તેા મધુમિ'દુના દૃષ્ટાંત જેવું છે. જ્ઞાન વૈરાગ્યથો એનેા સર્વાંનાશ કરીશ. “ મારી નિંદા વગેરે થાય, તેથી હું મારી નિંદા થાય છે એમ માનીશ નહી. નિદા ને નિંદકા પર તટસ્થ ભાવે દેખવાના અભ્યાસ કરીશ, મારા પર કોઇ આળ-કલક મૂકશે, મને હલકા પાડવાને યત્ન કરશે તે પણ હું વેરભાવ-કલેશ કરનાર નથી. "" નગરજનેા બહેચરદાસની જુવાની જોઈ, એ કાળે આવી ભાગવતી દીક્ષા લેવાની ભાવના જાગવાની પ્રશંસા કરતા બે હાથ જોડી નમસ્કાર કરતા હતા. બહેચરદાસ સામે બે હાથ જોડતા-સાથે અંતરમાં તે પેલી વિચારણા ચાલુ જ હતી. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy