SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૨ ચેાગનિષ્ઠ આચાય જતી આગગાડી જેમ ભર્યાં નગરા ને વિશાળ વનાપત્રના છેડતી આગળ ચાલી જાય છે, એમ એમનું અંતરરૂપી એજિન વેગમાં હતુ. વાતા કરતા તેઓ સાબરમતીની નદી પાસે આવી પહેાંચ્યા, તે તેને ઊતરવા માટે તેના જળમાં પ્રવેશ કર્યાં. નિસના શેખીન આ નવજુવાનને આકાશના તારા, વનરાજિનાં વૃક્ષ ને અ ંતરાલે ઊડતાં વિહગ મિત્ર હતાં, એમ આ સુભગ સલિલ સાથે પણ વર્ષાના સ્નેહ હતા. બહેચરદાસે શુભ્રસલિલા સાબરમતીને માનસિક પ્રણામ કરતાં મનથી કહ્યું: · હું સાબરમતી, ખાલ્યકાળમાં તારા જળમાં મે` અનેક વાર સ્નાન કર્યું છે. હવે એ સ્નાનને બદલે 'તરમાં સમતા નદીના સદા શીતળ જળમાં સ્નાન કરવાની મનેાભાવના જાગી છે. તું જેમ નિરંતર ચઢતે પરિણામે વહ્યા કરે છે, એમ મારા આત્મા પણ મુક્તિ તરફ વહ્યા કરા ! જેમ તું તારા સાગર પતિને મળવા જાય છે, એમ હું પણ મારા પરમાત્મા પ્રભુને મળવા જઇશ. હું શૂર સાબરમતી, તારી માફક મારામાં પણ અખંડ જ્ઞાનપ્રવાહ વહેવડાવવા હું પણ પુરુષા કરીશ. તારુ શૂરું પાણી પીધું છે, તેથી મારા આત્માની શક્તિઓ પ્રગટાવવામાં શૂરવીર બનીશ. ’ આવી આત્મભાવનાએ ભાવતા ભાવતા તેએ વીજાપુર પહેાંચ્યા. નથ્થુભાઇએ આશ્વાસન આપ્યું, જડાવકાકીએ વાત્સલ્યભાવથી શેક ન કરવા સૂચવ્યું. જે જે આવ્યા તે તે ખરખરા કરતા આવ્યા, શાક છેાડી દેવા કહેતા ગયા. ઃ રે મના ! શેક છેડવાના કેાને હતા ? અહીં તેા ‘ કિસકે ચેલે, કિસકે પુત, આતમરામ અકેલે અબધૂત ’ વાળા ઘાટ હતા. અહીં તેા જનકપુરી ખળતી સાંભળીને પણ જનકનું કંઇ મળતું નથી !’ એવી જનકની ભાવના પ્રગટતી હતી, ને ત્યાં પરાણે પરાણે આગલીપાછલી સંભારી સહુ, શેક ન કરવાને અહાને શેાક કરાવવા આવતાં હતાં. પણ એથી જ ડાહ્યાએ દુનિયાને નાટકની રગભૂમિ કહે છે ને ! સાંજે અહેચરદાસ પેાતાને ઘેર પહેાંચ્યા, ને પરશાળમાં બેઠા. કવિસ્વભાવી જીવાનને પિતા-માતાની યાદ ફરી જાગી ઊઠી. અલબત્ત, છેલ્લા વખતમાં પે!તે પિતાથી દૂર રહ્યા હતા. કેટલીક વાર આત્માન્નતિના કારણે પિતાની મરજીથી વિરુદ્ધ પણ વર્ત્યા હતા. કેટલીક વાર નિરક્ષર પિતા ને સાક્ષર પુત્ર વચ્ચે વિવાદ પણ થયે હશે. એકની નજર આભનાં ઊંડાણ વી શ્રી વિહરવાની ને ખીન્તની ઘરઆંગણુા પૂરતી પહાંચનારી-એમ એ બુદ્ધિએ વચ્ચે વિખવાદ પણ થયે। હશે; ભણેલા પુત્ર પાસેથી દુન્યવી સમૃદ્ધિની માબાપને વિશેષ તાલાવેલી પણ હશે, જ્યારે ભળેલા પુત્રને દુન્યવી સમૃધ્ધિ છેડવાની તાલાવેલી હશે, અને એ વેળા કલેશ પણ થયા હશે; છતાં બહેચરદાસે પિતાના મનસતેાષ ખાતર સદા પ્રયત્ન કર્યો હતા. એમને જ ખાતર પૈસા કમાવા નેાકરીના બંધનમાં બંધાયા હતા, ને પેાતાની કમાણીની પાઇએ પાઇ પિતાને મેાલી હતી. સ’સારના સદ્ગુણી પુત્રની રીતે પાતે વર્યાં હતા, બાકી તા જેને આખા સ`સાર સ્ત્રાર્થીની શેતરંજ રમતા નજરે પડતા હેાય ત્યાં, એમાં મજા ન પડે એ સ્વાભાવિક હતું. For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy