SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચઢતે પરિણામે ૧૩૧ વાણુ કરતાં પાલીતાણા તેઓને વધારે અનુકૂળ પડશે, દેહ સાથે આત્માને પણ ત્યાં જરૂરી પથ્ય મળશે. પાલીતાણામાં દવાની પણ સગવડ છે. સાથે વધારામાં સન્મિત્ર શ્રી. કપૂરવિજયજી પણ ત્યાં છે, ને પંજાબી મુનિ દાનવિજયજી પણ ત્યાં ચાતુર્માસ રહેલા છે. ખ'નેના આખરી નિર્ણય એ થયેા કે પાલીતાણા જ જવું, અને તે પ્રમાણે સ્નેહીમ`ડળની વિદાય લઇ તેએ રવાના થયા. એ વેળા રેલગાડી સેાનગઢ સુધી તી, ને ત્યાંથી ઘેાડાના ટપ્પાની મુસાફરી શરૂ થતી. ટપ્પાની મુસાફરી માણી અને મિત્ર પાલીતાણા પહેાંચી ગયા. આ વખતે સન્મિત્રજી અમરચંદ જસરાજની ધમશાળામાં ઊતર્યાં હતા. બન્ને જણા એ જ ધમ શાળામાં ઊતર્યા. સન્મિત્રજીનાં દન કરી અને ખૂબ આનંદ પામ્યા. બીજે દિવસે દવા શરૂ થઇ. સાથે સાથે યથાશકય તી યાત્રા, શાસ્ત્રશ્રવણ પણ શરૂ થયું. અન્નેને દેહ કરતાં આત્મિક ઓસડ વિશેષ જોઇતુ હતું. મુનિરાજ શ્રી. કપૂરવિજયજી હ ંમેશાં વ્યાખ્યાન વાંચતા. આ પ્રસંગે જૈના અને માંસાહાર ’ નામની ચર્ચા ખૂબ ચાલતી હતી. એ ચર્ચાનુ' મૂળ એવુ' હતું, કે જમનીના એક અભ્યાસી વિદ્વાન પ્રે. હુમન જેકેાખીએ એમ પ્રગટ કર્યું હતું કે આચારાંગ સૂત્રના આધારે જૈનાને માંસ વાપરવાની છૂટ છે. એણે કેટલાંક પ્રમાણેા પણ આપ્યાં હતાં. આ ચર્ચાથી જેનેામાં ભય'કર કાલાહલ વ્યાપી ગયા હતા, ને એક રવજી પ્રેફેસરે તેના ઉત્તર પણ આપ્યા હતેા. ૫. ગંભીરવિજયજી, શ્રી. નેમિવિજયજી અને શ્રી. આનંદસાગરજીએ પણ એના રદિયા આપ્યા હતા. બહેચરદાસને પ’. ગભીરવિજયજીતુ' લખાણ સને સમજાય તેવું સ્પષ્ટ અને શાસ્ત્રસમત લાગ્યું હતું. પાલીતાણાના ઢાકાર અને જેના વચ્ચે એ વખતે તકરારા ચાલતી હતી. બન્ને વચ્ચેના સંબંધ સારા નહેાતા. કેટલાય મુનિ આ બાબતમાં બહુ ઝંખના ધરાવતા હતા, તીથ માટે કઇ કરી છૂટવાની તમન્નાવાળા હતા. પ`જાખી મુનિ દાનવિજયજી તેમાંના એક હતા. સૂતાં–બેસતાં આ પ્રશ્ન, રાજા અને તેના અનુચરવળ દ્વારા થતી આશાતનાથી તેમનુ મન બળ્યા કરતું. તેએ પાલીતાણામાં હતા. બહેચરદાસ તેને મળ્યા, ને કેટલીક વાર તેમની સાથે યાત્રાએ જવા લાગ્યા. તેમને એક વાર તેમની નીડરતાને અચ્છા નમૂને જોયા મળ્યું. બહેચરદાસ અને પ ંજાબી મુનિ તીથ યાત્રા કરીને ગામ તરફ આવતા હતા. એવામાં સામેથી આગળ-પાછળ અસવાર સાથે ચાર ઘેાડાની બગી વેગથી આવતી દેખાઇ. પાલીતાણાના ઢાકાર એમાં બેઠા હતા. બહેચરદાસે મહારાજશ્રીનુ લક્ષ દોરતાં કહ્યું': "L ઠાકારની ગાડી આવે છે, તેા બાજુમાં ખસી જઈએ. ’’ આ સાંભળી મુનિરાજની આંખે પહેાળી થઇ ને તેજનાં કણ વેરવા લાગી. એ ૫'જાખી પ્રચંડ કાયા ટટાર થઇ ત્યાં જ ઊભી રહી ગઈ, ને જમીન પર ક્રૂડને ડાકતાં કહ્યું: “વા ઠાકાર હૈ, તેા હમ મહારાજ હૈ'. હુમ નહી' કે'ગે, ” ઠાકાર જાણતા હતા કે પજાખી દાનવિજયજી હઠીલા છે. કેચમેને ગાડી જરા ફેર For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy