SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મેાતી-ઝવેરીના હાથમાં ૧૧ CC પણ સાહેબ, હાલ મારે સાધુ થવા ઇચ્છા નથી. બ્રહ્મચારી રહીને શ્રાવક ક્ષમાઁ પાળવાથી પણ મેક્ષ મળે છે, ’ શ્રી. રવિસાગરજી મહારાજ કઇ ન મેલ્યા. જાણે એ તે પેાતાની નજરે બહેચરને દીક્ષિત બનેલા ને સભાએ ધ્રુજાવતા, આત્મધર્મના આહલેક બજાવતો નીરખી રહ્યા હતા. એની : ના ’માં એ ભાવિની ‘ હા’ નીરખી રહ્યા હતા. રાગ ઉગ્ર થતા ચાલ્યા. દવાએ થતી ગઇ એમ એ દબાવાના બદલે ઉછળવા લાગ્યા, એક દિવસ ગુરુજીએ બહેચરદાસને સમીપ બેલાવી કહ્યું: “ મારો શિષ્ય સુખસાગર ખરેખરે ગુરુભકત, ભદ્રિક, સરળ, આત્માથી છે. એ વિનયવંત છે. એવું અવશ્ય કલ્યાણ થવાનું. તું એની ભકિત કરજે. તારું પણ કલ્યાણ થશે. એની સેવાભકિતમાં ભારી સેવાભકિત જાણજે. શ્રી. સુખસાગરજીએ મારું પાસુ છેડ્યું નથી. શાસ્ત્રોના અભ્યાસ કરનારા ઘણા રખડે છે. શ્રી. સુખસાગરજી ભવિ છે. સંસારસાગર ઊતરી જશે. ૫ચ સમિતિ ને ત્રણ ગુપ્તિથી આત્માના મેાક્ષ થાય છે. તારી મારા પર શ્રધ્ધા હું જાણું છું. વાણિયા કરતાં બીજી કામેાના લેાકેાની ગુરુ પર અવ્યભિચારી ભકત હાય છે. પળે પળે જેની ભિકતનેા રંગ વધે છે, તેવા ગુરુભકતાને ગુરુ ન હેાય તે પણ ગુરુની પેઠે અંતરથી મેધ પ્રકાશે છે. ” ત ગુરુની આ વાણી બહેચરદાસ નમ્રભાવે સાંભળી રહ્યા, એના માઁભાગને તેમણે તરત સમજી લીધા, ને ગુરુજીના ચરણ સ્પશી ને મેલ્યાઃ .. “ ગુરુદેવ, મારે તે ફક્ત ગુરુકૃપા જ જોઇએ. ગુરુકૃપામાં મને તે સ્વર્ગની પણ ઇચ્છા રહેતી નથી, અને ગુરુકૃપાથી જ આત્માને મેક્ષ થાય છે. ” શિષ્યની આ વાણી સાંભળી ગુરુદેવ સ ંતુષ્ટ થયા. એમણે દીક્ષિત થવાની વાત છેડી દીધી. ઋગ્ણતા વધતી ચાલી. ગુરુસેવાના વ્રતી બહેચરદાસ દિવસ-રાત ભૂલી શુઋષા કરી રહ્યા હતા, એક વખતે મધ્યાન્હ કાળે ગુરુજીએ પાતાની નવકારવાળી બહેચરદાસને આપતાં કહ્યું: લે, આ મારી નવકારવાળી, તું અને ગણ્યા કરજે; તેથી તારા આત્મામાં અનુભવજ્ઞાન પ્રગટશે. સૂર્ય ઉપર વાદળાં આવીને જેમ વિખરાઈ જાય છે, તેમ તારા પર સંકટનાં વાદળા આવશે, પણ પાછાં વિખરાઈ જશે.’’ બહેચરદાસે પરમ શ્રધ્ધાથી ગુરુની જન્મ-મરણ ભાંગનારી એ ભેટ સ્વીકારી લીધી. સ્વીકારીને પેાતાના નિત્યપૂજનના સંગ્રહમાં મૂકી દીધી. આ સંગ્રહમાં પાલીતાણાની યાત્રાવેળાએ લાવેલુ રાયણનુ પાન પણ હતું. પાનની તે રાજ પૂજા કરતા. નવકારવાળો રાજ ચઢતે પરિણામે ફેરવવા લાગ્યા. સંસાર તા ઝવેરીઓના દરમાર છે. દરેક ઝવેરી પેતપેાતાની ક્ષમતા મુજબ મેતીનાં મૂલ મૂલવતા રહે છે. મહેસાણા પાઠશાળામાં રહેલ એક પાણીદાર મેાતીનાં મૂલ જ્યારે For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy