SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્યશોધક આત્મા ! “અનેડિયાના ઠાકરડા ગામની ભેસો ને ગાયો વાળી જાય છે.” “શા માટે ?” * જૂની અદાવતથી. પહેલાંની વાત છે. આજેલના એક આંધળા ચોકીદારે, ચોરી કરવા પધેલા સાત ઠાકરડાઓને ભાલાએ વીધેલા. ચાલે, ચાલવું હોય તે માસ્તર !” ક્ષણભર પહેલાં અધ્યાત્મની ચર્ચામાં ડૂબેલા; પરલોક, પરબ્રહ્મ ને પરમાત્માના ભેદાભેદમાં લીન માસ્તરે તરત છલંગ દીધી, કછોટો ભીડ્યો, ને લાંબી લાકડી હાથમાં લઈ મેદાને પડ્યા. સાગના સોટા જેવો નક્કર પડછંદ દેહ, મોટી મોટી અણિયાળી આંખે, હાથમાં મજબૂત પકડેલી લાકડી ! ને કેડે વાંકડી કટારી (છો)! શાંત રસમાંથી વીર રસની નિષ્પત્તિને અદ્દભુત નમૂને ત્યાં હાજર હતે. પણ મુકાબલે થાય તે પહેલાં આગળ જઈ પહોંચેલાઓએ મેદાન મારી લીધું હતું. 'માસ્તર” ઉપનામથી જાહેરાતમાં આવેલા બહેચરદાસ, પાછાં વાળેલાં ગાય ને ભેંસોનાં ધણુ સાથે પાછા ફર્યા. તોફાન સમી ગયાના સમાચાર ગામમાં પહોંચતાં ધીરે ધીરે બંધ થયેલાં બારણાં ઉઘડવા લાગ્યાં, ને હજાર રૂપિયાની હારજીતના મહારથી મૂછાળા જૈનો બહાર નીકળી પડકારાથી વાતો કરવા લાગ્યા. એટલામાં દૂર દૂરથી ખભે લાકડી નાખીને આનંદથી વાતો કરતા માસ્તર બહેચરદાસ આવતા દેખાયા, ઊંચી પડછંદ કાયા સહુથી જુદી તરી આવતી હતી, ને અત્યારે પોરસથી પરિપૂર્ણ બે વેંત વધુ મોટી લાગતી હતી. અરે માસ્તર, તમે?” અચાનક સહુની જીભ પર એ પ્રશ્ન આવી ગયે. આવી વિપત્તિની વેળાએ, ખૂનાખરાબીની પળે બારણાં બંધ કરીને ઘરમાં બેસી જવાને બદલે, આમ હિંસક શસ્ત્ર સાથે, બહાર મેદાને પડેલા માસ્તર ! એમને મન આ અણછાજતો દેખાવ હતો. માસ્તરની પાસે પ્રત્યુત્તર તૈયાર હતા. કેમ? માસ્તર માણસ નથી? ને એક માણસ તરીકે આ પળે મારે શું ઘરમાં બેસી રહેવું ?” આખરમાં તો કણબી ને! જૈનધર્મ કયાંથી પૂર્ણરૂપે પરિણમ્યો હોય.” એકે ધીરેથી ટીકા કરી. જૈનધર્મ તે અમારો-અમારા જેવા કુમ ક્ષત્રિયોને છે, વિરેને એ ધર્મ છેબાયલાઓને નથી.” માસ્તરે સણસણતો જવાબ વાળ્યો ને કહ્યું જેને પોતાની જાતની રક્ષા માટે પારકા પર આધાર રાખવો પડે એ જેન કેમ કહેવાય? જીવદયાના બહાના હેઠળ ભીરુતા, કાયરતાને પંપાળશો મા ! આ ઘર, આ દુકાને, આ ઉપાશ્રયે ને દેરાસરની શી રીતે રક્ષા કરશો ? ઈતિહાસ વાંચે, અઢાર અઢાર મહાન જન ભૂપાલાએ જરૂર પડે સમશેર રહી છે, ને વખત આવે સંયમ પણ લીધું છે. નમાલા બનીને, પરાશ્રયી બનીને જીવવું એના કરતાં પ્રાણનો ઉત્સર્ગ શું છે ?” For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy