SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પંથ-નિર્માણ se ચરદાસ મહામહેનતે ખાટા ખોટા સવાલજવાબથી હૃદયકચેરીના કેસ ઉડાવી દેતા, પણ ચુકાદાથી કોઇને સંતાષ ન થતા. એમ લાગતું કે કંઇ છેતરપીડી ચાલી રહી છે, ને એ ધમાલમાં શહેરકચેરીના કેસમાં પછી કઇ સ્વાદ ન રહેતેા. પણ આત્મવચના આખરે ઉઘાડી પડી ગઇ. આવુ દી કાળ સુધી ન ચાલ્યું. પ્રથમ દાવામાં હારેલા આત્માએ ફરીથી અપીલ નોંધાવી, મુદ્દા ને મુઇમાં સત્ય ને ધનિષ્ઠા આવી ઊભાં. મુદ્દાએ એવા પ્રબળ હતા કે સામે પ્રત્યુત્તર અશકય હતા. કઇંક આસાયેશ પામેલા મહેચરદાસના દિલમાં ફ્રી પ્રચંડ ઝંઝાવાત ખડા થયા. મનની મહત્ત્વાકાંક્ષાએ ફરીથી ઉછાળા મારવા લાગી. જૂઠભયુ' તરકટી જીવન તને શું ગમે ? સાંસારની બજારમાં છલ-પ્રપંચના વ્યાપારા ચલાવતાં એક દહાડા તારા આત્મા સાથે પણ તું ઢગેા નહિ રમે, તેની શી ખાતરી ? બહેચરદાસ વ્યાકુળ થઇ ઊઠયા. આંખમાંથી ની...ઇ ગઇ, શરીરમાંથી શાંતિ ગઇ, મનમાંથી જપ ગયા. વ્યાકત જ્યના નિયે એમના દેહમાં ભારે ઉષ્ણતા અપી. રાગથી અજાણુ શરીર કદી કદી તપી જવા લાગ્યું. પણ મનના તાપ પાસે તનના તાપની ગણના નહેાતી. શીલ ને સમતાના ધારક સાધુએ પાસે તે પહેાંચ્યા વિદ્યાશાળામાં જ રાતદિવસ રહેવાથી ઘણા સાધુએ સાથે તેમને પરિચય થયા હતા. ૫. પ્રતાપવિજયજી, ભાવવિજયજી, નીતિવિજયજી, ગુમાનવિજયજી, દેવવિજયજી, મેાતીવિજયજી, રંગવિજયજી આદિના ઠીક ઠીક પરિચિત બન્યા હતા. તેમાં પણ શ્રી ગુમાનવિજયજી પર તેમની ખાસ શ્રધ્ધા હતી. સીત્તેર વર્ષોંની જૈફ ઉંમરવાળા ઊંચા પાતળા, ગૌરવર્ણી આ સાધુ તે બહેચરદાસના મનેામંદિરની કાઈ પૂજનીય પ્રતિમા હતા. વિચાર ને આચારમાં દૃઢ કલાવત આ સરલ સાધુનું સ્થાન ઘણું ઉચ્ચ હતુ. એમની સેવા, ભકિત, સુશ્રુષા બહેચરદાસના જીવનેાલ્લાસ હતા. મળી શકાય તેટલા સારાજોને તે મળ્યા ને સલાહ માગી, મનની યંત્રણામાંથી છૂટવા માગ ચાહ્યો, પણ ત્યાંથી તે એક જ જવાબ મળ્યોઃ “ બહેચરઢાસ, સાધુ થઇ જાએ, તમારી બધી મુરાદ પૂરી થશે. ” ઘરમારની જવાબદારોએ હતી. સંસારથી ડરીને સન્યાસી બનવામાં એમને કાળ પૌરુષ્હીનતા ભાસવા લાગી. સાધુઓની સલાહ પૃથ્વી તેમણે બંધ કરી. એક વેળા ધપિતા સમા નથુભાઇ મછાચંદની તેઓએ સલાહ પૂછી. નથુભાઇ ગૂજરેલા યુગના પ્રતિભાવંત પુરુષ હતા.એમની દૃષ્ટિમાં તે વસી ગયુ` હતુ` કે આ બાળક જૈન સાધુ થાય તે સ્વ-પરનું કલ્યાણ સાધી શકે, ને અદ્યાપિ પર્યંતની તેમની સેવાસુશ્રુષા આ દૃષ્ટિમંદુને આભારી હતી. તેએએ સ્પષ્ટ સલાહ આપી કે તમારે સારા ગુરુ શેાધી સાધુ થઈ જવુ, બહેચરદાસના અતર આત્મા સાધુ થવાની ના પાડતા હતા. એને તે સાધુતાપૂર્વક For Private And Personal Use Only
SR No.008552
Book TitleBuddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu, Padrakar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1950
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size168 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy