SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુંબાઈ. મુંબઈ બંદરથી લી. તલકચંદ કેવળ માણસાવાળા તથા ચંદુલાલ ડુંગરશી વીજાપુરવાલા વિગેરે વિ૦ લખવાનું કે પરમ પૂજ્ય મહાન ઉપકારી ગુણસિધુ રત્નનાભંડાર આચાર્ય મહારાજ સાહેબ શ્રી બુદ્ધિસાગર સૂરી શ્વરજી કાલધર્મ પામી ગયા તેથી મારા હૃદયમાં દીલગીરીને પાર નથી. તેમ અત્રેના સકલ સંઘને મહાખેદ ઉત્પન્ન થયો છે. આ કાલમાં આવા યુગપ્રધાન મહાત્માની મોટી બેટ ગઈ છે. હવે આખા ગુજરાતમાં કેઈ પણ માણસને તલ માત્ર પણું વીસરજન થવા પામશે નહિં. મહારાજશ્રીના મહાન ઉપકારે શાન્તવૃત્તિ અખંડ બ્રહ્મચર્ય અદ્વિતીય હતાં. તેમના આત્માને ચિરંજીવી શાંતી રહે. તેઓશ્રી પરમાત્મ પદવિના ધણું થયા હશે. તેમના વિશેમાં હું એક અલપ બુદ્ધિવાળો તૃણુ સમ ગુણ ગાવાને સમર્થ નથી પણ મારી મનેકલ્પના એ મને લાગ્યું. એજ. ગુરૂ મહારાજશ્રી બુદ્ધિસાગરજી સાહેબના એકાએક કાળ ગમન થયાના ગમગીની અને દુઃખદાયક સમાચાર તાર મારફતે સાંભળી અમારા જીવને તથા અમારા વડીલ ભાઈ મેતીલાલભાઈને તથા અમારા ઘરમાં સરવે બરાં કરાંઓને ઘણુંજ દુ:ખ થયું છે. ને તે સમાચાર સાંભળી અમે તુરત સંઘ ભેગે કરવાની ખટપટમાં પડયા હતા ને સંગ ભેગો કર્યો હતો ને સંઘમાં સખત પાખી પાડવાને ઠરાવ કર્યો હતે ને રાતના મહેમના માનમાં ડોશીવાડામાં ભેગા થઈ શોક પ્રદર્શિત કરીને શહેરમાં પાખીને બાહ્મણ ફેરવ્યું હતું. ને શહેરમાં જેઠ વદી બુધવારે સખત પાખી મહુંમના માનમાં પાત્ર હતી ને ઢોરને પુષ્કળ ઘાસ નંખાવ્યું હતું. વલી મહુંમના માનમાં પંચાસરે અઠ્ઠાઈ ઓચ્છવ માંડવાને ઠરાવ કર્યો હતે. શ્રીમની વિદ્વતા તથા તેમના ત્યાગીપણાનાં અત્રે ઘણું વખાણ થાય છે ને મહૂમની ખેટ કઈ રીતે પુરાય તેમ નથી. 11 For Private And Personal Use Only
SR No.008551
Book TitleBuddhisagarsuri Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages241
LanguageGujarati
ClassificationSmruti_Granth, Philosophy, & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy