SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૧ હયાતીમાંજ ૧૦૮ ગ્રંથની માળા પૂર્ણ કરી હોય, એવા આ આચાર્ય જેવા થોડાજ દાખલા ઈતિહાસ બતાવે છે. આવા અદ્ભુત ચમત્કારી સાહિત્યના ઉચ્ચ કેટિના ઉપાસક, આધ્યાત્મ જ્ઞાન ગનિષ્ઠ ગીવરના આત્માને પ્રભુ શાંતિ આપે. શ્રી બુદ્ધિસાગરજીના સ્વર્ગવાસથી ગુજરાતને અને જૈન ભાઈઓને મેટી ખોટ પડી છે જૈન ધર્મપ્રકાશઅષાઢ આચાર્યશ્રી બુદ્ધિસાગરજીને સ્વર્ગવાસ. આ અધ્યાત્મપરાયણ, ગનિષ્ઠ જૈન સાહિત્યની વૃદ્ધિ માટે સતતુ ઉઘોગી મહાત્મા જેઠ વદિ ૩ ને સોમવારે વિજાપુર ખાતે સ્વર્ગવાસી ધયા છે. એમને જન્મ સંવત ૧૯૩૦ માં વીજાપુરમાં શીવદાસ નામના કૌટુંબિકને ત્યાં થયો હતો, નામ બહેચર પાડયું હતું. પૂર્વના સંસ્કારથી લઘુવયમાં જ જૈનધર્મ સંબંધી અભ્યાસને વેગ થયે હતો, શ્રીમદ્ રવિસાગરજી મહારાજને સગ બન્યા હતા, અને તેને પરિણામે સં. ૧૫૭ ના માગશર શુદિ ૬ કે શ્રીમાન સુખસાગરજી મહારાજ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું હતું તેઓ સાહેબ કમેકમે જ્ઞાન, કિયા બંનેમાં વધતાં આચાર્ય પદવી પામ્યા હતા અને ગદ્યપદ્યાત્મક નવા નવા ગ્રંથ યા બુકના ૧૦૮ મણ બનાવ્યા હતા. જે બધા છપાઈ ગયા છે. હજુ તેમની કૃતિ છપાવવી બાકીમાં છે, તે ભવ્ય છને એકાંત ઉપકારક છે, શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળની સ્થાપના એ સાહેબેજ કરી હતી. એઓ તદન સાદાં ને સ્વદેશી વસ્ત્રોજ વાય. રતા હતા. વૈરાગ્ય રસમાં વૃદ્ધિ પામતા હતા, તેઓ સાહેબને અંત સમય બહુજ સુધર્યો છે, જૈનબંધુઓએ પણ મોટી સંખ્યામાં બહારગામથી વીજાપુર આવી તેમની અંતક્રિયામાં ભાગ લીધે હતે. એ પ્રસંગે ઉપજ પણ બહુ સારી થઈ હતી, આવા મહાત્માઓની For Private And Personal Use Only
SR No.008551
Book TitleBuddhisagarsuri Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages241
LanguageGujarati
ClassificationSmruti_Granth, Philosophy, & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy