SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૪ મનડું જન્મ મરણ કરનારૂં, સર્વ જગમાં જનારું; રાગ શેક ચિંતા વહનારું, કપે સારૂં નઠારૂં. આતમ. ૪ વાયુની પેઠે વશ નહીં આવે, અભ્યાસે સ્થિર થાવે; રાગને દ્વેષપણે વહે ભાવે, હઠ કરી છટકી જાવેરે. આતમ. ૫ દુનિયાના છ મન વશમાં, લાખારાશી ભટકે, મન જીતે જીત્યું જગ સઘળું, સમજાવ્યું પણ છટકેરે. આતમ. ૬ કાયાવાણી ધન મનમાયા, મનના સહુ પડછાયા; મનનું કહ્યું કરતા નહીં ડાહ્યા, અંતે સાર ન પાયારે. આતમ. ૭ મનના વેષ ક્રિયાદિક ઝઘડા, મતપંથ દર્શન ભેદે મન મમતાને અહંતારૂપી, મનડું કરાવે છેદરે. આતમ. ૮ મન છે બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર, મનડું છે સહુ સષ્ટિ મનની હારોહાર છતાછ, મન છે વ્યષ્ટિ સમણિરે. આતમ. ૯ તપ જપ પૂજા સેવાભક્તિ, મનવશ કરવામાટે; દાબતાં જેર ઘણું કરી ઉછળે, ભટકે ઘાઘાટેરે. આતમ. ૧૦ હઠાગીને વેગે હઠાવે, બ્રાહ્મણને ભટકાવે; તપસીઓને ખૂબ તપાવે, દંડીઓને દબાવેરે. આતમ. ૧૧ મનવશ કરવું સહેલ નહીં છે, કાલ અનાદિ હઠીલું, અનુકમ અભ્યાસે વશ આવે, પ્રકૃતિ જેર જટીલુંરે. આતમ. ૧૨ મનનું કહ્યું કરતા તે મૂઢા, ઇશ્વર સમ મનશક્તિ, મનપર રાગને દ્વેષ તે મન છે, ભાવ શુભાશુભ વ્યક્તિ. આતમ. ૧૩ મન છે મંત્રો યંત્રોને તંત્ર, મનડું ગુરૂ અને ચેલે; મનને જે વિશ્વાસ કરે છે, જ્ઞાની બને પણ ઘહેરે. આતમ. ૧૪ મનના તાબે રહેલ ગુલામ, ઈન્દ્ર ચંદ્રને રાયા; મોહ ભેદ સહુ મનની માયા, છત્યા તે સુખ પાયારે. આતમ, ૧૫ મનની હામાં પડેલા જનને, મન પાતાળે જ ઘાલે; દેવગુરૂના ભક્ત થયા પછી, મનવશ થાતું ચાલેરે. આતમ. ૧૬ અશુભથકી મન પાછું હઠાવી, શુભમાં વેગથી વાળે; શુભમાંથી મન પાછું હઠાવી, આત્મામાં રમી હારે. આતમ. ૧૭ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy