SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મારી શ્રદ્ધાથી બળશક્તિ, સર્વ જાતની પ્રગટે ભક્તિ; મુજ શ્રદ્ધાવણ હોય ન ધર્મ, મુજશ્રદ્ધાથી પ્રગટે શર્મ. ૧૭૫ ઉત્સાહી જીવનને ગાળ, સન્તજને પર કર તું હાલ; ખંત ધરીને કર સહુ કાજ, ધર્મવિના બીજુ નહિ રાજ્ય. ૧૭૬ ઉદ્યમથી નહિ પાછા હઠ, કર્તવ્યોથી થા નહિ ભ્રષ્ટ વિશ્વોપયોગી જીવન ધાર, સાચા ધર આચારવિચાર. ૧૭૭ તામસ રાજસબુદ્ધિ કર્મ, તેથી વ્યક્ત ન આતમધર્મ, સાત્વિક બુદ્ધિ સાત્વિક કર્મ, કરતાં પ્રગટે આતમ ધર્મ. ૧૭૮ સાપેક્ષાએ સર્વ વિચાર, એકાંતે મિયાત્વ જ ધાર; સાપેક્ષાએ સઘળું સત્ય, નિરપેક્ષાએ સર્વ અસત્ય. ૧૭૯ સાપેક્ષાએ નયની દૃષ્ટિ, ધાગંતાં પ્રગટે ગુણષ્ટિ; જૈનધર્મ સાપેક્ષા જાણ, મારી વાણું માન પ્રમાણું. ૧૮૦ કુતકને દૂરે ઈડ, મેટાઈનું ત્યાગ ઘમંડ; શ્રદ્ધા પ્રીતિ એ છે ભક્તિ, આત્મધમ તેથી છે ભક્ત. ૧૮૧ નિશ્ચય ને વ્યવહારે સ્થિર, થાજે સહુ વાતે ગંભીર મેરૂ સમ ધરજે દિલ ધૈર્ય, રાખ નહિ કે સાથે વૈર. ૧૮૨ ત્યજે નહિ ધાર્મિક વ્યવહાર ત્યજ નહીં ધાર્મિક આચાર; જે અંશે માયા છતાય, જેનધર્મ અંશે પ્રગટાય. ૧૮૩ આત્માના ગુણને પર્યાય, જેથી તે સર્વે પ્રગટાય. એવા જે આચાર વિચાર, જૈન ધર્મ સાચે વ્યવહાર. ૧૮૪ શકિત કારક સર્વ વિચાર, પ્રવૃત્તિના સહુ વ્યવહાર; જૈન ધર્મ એ જગજીવંત, સત્ય સનાતન શક્તિમંત. ૧૮૫ જૈન ધર્મ આત્મિક બળ જાણ, જડ શક્તિ નિમિત્ત પ્રમાણ આત્મિક બળથી જીતે જેન, પશુબલ આગળ થાય નદીન. ૧૮૬ મારે જે વિશ્વાસી ખાસ, હેય ન તેને કયારે નાશ; બને નહીં તે જગ પરતંત્ર, પ્રગટાવે સાચું સ્વાતંત્ર્ય. ૧૮૭ આત્માનું અસ્તિત્વ પ્રમાણ, પુનર્જન્માદિક સહુ જાણુ તેના વિશ્વાસ તે જેન, આત્મશક્તિથી ધરે ન દૈન્ય. ૧૮૮ For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy