SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમે. ૩૩૧ "; દ્રવ્યપણે હું નિત્ય સદા છું, પર્યાયી પર્યતે; સ્વપર પ્રકાશી રૂપારૂપી, એકાનેક સમેતે રે. ક્યાંથી ૬ અનન્ત પર્યવ વ્યતીત થયાને, પર્યયે સમ્મતિ રહેત; થાશે અનન્તા પદધિ, પર્યાયે બહુ વહેતો રે. ક્યાંથી. ૭ નિજ પરપર્યાયે સહુ રૂપે, સાપેક્ષાએ ઘટે તે સર્વમાંહીને સર્વથી ન્યારે, એવું છું ચેતે રે. કયાંથી, ૮ જે જે રૂપે મુજને જાણે, હું નહીં હૈયે અમે તે; બુદ્ધિસાગર પરમ બ્રહ્મમય, અનુભવગમ સંકેત છે. કયાંથી. ૯ ચૈત્ર સુદિ ૫ મંગળવાર ભાવાર્થ-આ શરીર ધારકની પાસે આવનારાઓ, દેખનારાઓ એમ કથે છે કે અમે તમને જાણીએ છીએ. આના પ્રત્યુત્તરમાં પરામર્શપૂર્વક કથ્ય એ છે કે જગજજનો, શિષ્યો, બધુઓ, ભકતો, જિજ્ઞાસુઓ! હું કોણ છું એ હું પૂર્ણ રીત્યા અવબોધી શકતું નથી. જ્યારે શરીરમાં રહેલો હું કોણ છું એ અનુભવ પ્રત્યક્ષે સમગ્ર સ્વરૂપે જાણી શકતા નથી. તે તમો મહને કયાંથી જાણી શકે અત અવધી શકે. નિશ્ચય કરી શકે. જો તમે મુજને અપક્ષાનુભવે પૂરું પણે જાણી શકે તે તમે સર્વદયાદશ્ય ભાવોને જાણી શકે એમ નિશ્ચય છે. તમે એમ કથશે કે દશ્ય સ્વરૂપે તમે છે પરંતુ તે નિશ્વય જડ દશ્ય વસ્તુ સંબંધી હોવાથી આત્માને અવબોધવામાં તે ભૂલ જ રહેશે. પુગલના પર્યાય દશ્ય હેય છે અને શરીરાદિક દને અન્ય પર્યાયરૂપે ઉત્પાદ થતો દેખવામાં આવે છે. અમુક નામથી વા શરીરના અમુક રૂપથી અમને અવબોધે તે સંબંધી કથવાનું કે ચિદાનન્દરૂપે અનુભવાતો આત્મા ખરેખર નામરૂપથી ભિન્ન છે. નામરૂપથી અમારું સ્વરૂપ વા અન્ય કેઈનું સ્વરૂપ અવગત કરવામાં પંડિત પુરૂષ ભૂલ ખાય છે. વેવ અને આચારના પર્યાયથી મને જાણવામાં ખરો નિશ્ચય નથી. કારણકે વેષ અને આચારમાં પદ્દગરિકત્વ છે અને જે પૉગલિકત્વ પદ્ય છે તે વસ્તુતઃ ક્ષણે ક્ષણે જડત્વપણે ફર્યા કરે છે અને આનન્દ ચૈતન્યાદિ ગુણથી રહિત છે તેથી વેષ અને આચારમાં ચૈતન્યાનન્દવાદિન હોવાથી તેમાં રાચી માચીને અને ભૂલવાનું છે અને વેષાદિ પૌગલિકત્વરૂપે પિતાને કેઈ અવબોધે વા પોતે પિતાને વેષાચારરૂપે અવબોધે તે અહંવ મમત્વના ખાડામાં પડીને પોતે પિતાને દુઃખી કરનાર છે એમ સમજવું. કદાપિ તમે કુળથી જાણે વા For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy