SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ આઠમ. ૧૦૩ છે અને અવશેષ છો તે મૃતક સમાન મિથ્યાત્વ ભાવે જીવતા છતાં પણ મરેલા જેવા અવબોધવા. કારણ કે તેઓ પૂર્ણત્વ જ્ઞાનવિના મોહમાં ક્ષણે ક્ષણે પરિણમે છે. અતએ તે મરેલા છે. તેઓની જાગૃતિ કરવા આત્મજ્ઞાનીઓએ તેમને બાધ આપો. નરસિંહ મહેતે કથે છે કે જ્યાં માત્મા તરત વિરહ્યો ત્યાંથી સાધના સર્વ ગૂઠી ઇત્યાદિવડે તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની તે દશામાં વર્તતા છતાં પણ સ્વરૂચિ જાહેર કરે છે. ગોરખ પણ આત્માના શુદ્ધોપગને પ્રાપ્ત કરવા ઈચ્છા દર્શાવે છે. કહે છે કે તેના માસની શુ વીવો ના નામતા નર સેવી જ્ઞાાત ના છે ને મો મઢે નિરક્ષર ડેવ. મન મત્યેન્દ્ર, પતંજલી, કબીર, જ્ઞાનદેવ, ધીરે, રવિદાસ, સ્વામી રામતીર્થ,વિવેકાન્દ, અને તુકારામ, વગેરે આત્મજ્ઞાન પ્રતિની રૂચિ ધારણ કરીને સ્વકીય આત્મજ્ઞાન સંબંધી ઉદ્દગારો કાઢ્યા છે, પરંતુ સ્વાદ્વાદ નયની અપેક્ષાએ ઉપશમાદિ ભાવનું આત્મામાં અનન્ત ગુણપર્યાયનું પૂર્ણ ત્વ અવકાય છે, અને તેનો અનુભવ પ્રગટે છે, ત્યારે સત્ય રીતે આત્મજ્ઞાન પ્રગટે : છે, અને ત્યારેજ સર્ચ વાઘાત પ્રગટે છે, સાત નવાની અપેક્ષાએ આત્માનું પૂર્ણત્વ અવબોધવામાં આવે છે ત્યારે દુનિયાના અનેક ધર્મ દર્શનેની ભિન્ન ભિન્ન માન્યતાને પૂર્ણવ સંબંધી અનુભવ આવે છે, અને ભિન્ન ભિન્ન દષ્ટિએ ભિન્ન ભિન્ન પૂર્ણત્વ માન્યતાના કદાગ્રહ ટળે છે, અને પ્રત્યેકમાંથી પૂર્ણત્વનું સત્યત્વ ગ્રહાય છે. આત્માનું જ્ઞાનાદિ પૂર્ણત્વ ખરેખર આત્મામાં છે. શુદ્ધોપયોગે આત્માના પૂર્ણત્વમાં પરિણમવું એજ પૂર્ણત્વ પ્રાકટય કર્તવ્ય છે. સર્વ જીવોમાં સત્તાએ પૂર્ણત્વ છે. પરંતુ વ્યકિતભાવે પૂર્ણત્વ પ્રગટાવવું એતે આત્મજ્ઞાને જાગ્રત થયા વિના તે બની શકે તેમ નથી. આત્માનું શુદ્ધ પૂર્ણત્વ પ્રકટ કરવાને આત્માના શુદ્ધ પર્યાયમાં પરિણમવું જોઈએ. કર્મયોગે આત્માના પર્યાયે અશુદ્ધત્વને પામ્યા છે. આત્માના પર્યાયોમાં કર્મયોગે અશુદ્ધત્વ પરિણમ્યું છે. એ અશુદ્ધ પર્યાયપણું ટાળવું હોય તો શુદ્ધોપયોગે આત્માના શુદ્ધપમાં તન્મયભાવે પરિણમવું જોઈએ. દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી આત્માના શુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાયે જાણવા. આત્માના શુદ્ધ પર્યાય અને અશુદ્ધ પર્યાને દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી અસ્તિનાસ્તિપણે જાણવા. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી સ્વકીય શુદ્ધ પર્યાનું આત્મામાં અસ્તિત્વ છે અને અશુદ્ધ પર્યાયનું શુદ્ધ નિશ્ચયનયની અપેક્ષાએ આત્મામાં નાસ્તિત્વ છે. ઉપચરિતનયની અપેક્ષાએ આત્માની સાથે કર્મના સંબંધમાવત્ અશુદ્ધ પર્યાનું આત્મામાં અસ્તિત્વ છે પરંતુ તે અસ્તિ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy