SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ મા અનિત્ય છે. ષ દ્રવ્ય સ્વરૂપ સત્ય કરી માને. હેય તે છાંડવું, ઉપાદેય એટલે આદરવું તેને વિવેક પ્રગટે, શુદ્ધતત્વ વાંછા રૂપ પરિણામ પ્રથમ કઈ વખતે થયા નહોતા એવા જે પરિણામ તે અપૂર્વકરણ જાણવું. એ બીજું કરણ સમક્તિ યોગ્ય જીવને થાય છે. ત્રીજું અનિવૃત્તિકરણ જાણવું. દેવ શ્રી અરિહંત, શુદ્ધ ગુરુ, સર્વજ્ઞકથિત સત્ય ધર્મ, અરિહંત કથિત આગમની શ્રદ્ધારૂપ સમકિત જાણવું. સમકિતના ત્રણ ભેદ છે. ઉપશમ સમકિત, ક્ષયોપશમ સમકિત, ક્ષાયકસમક્તિ. ઉપશમસમકિત ચેથા ગુણઠાણાથી તે અગિયારમા ગુણઠાણ સુધી છે. પશમ સમકિત ચોથા ગુણઠાણથી તે સાતમા ગુણઠાણ સુધી છે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ અને સમક્તિ મેહનીય, મિશ્રમેહનીય, અને મિથ્યાત્વ મેહનીય, એ સાત પ્રકૃતિ જે જીવ સર્વથા સંક્ષય કરે તેને ક્ષાયિક સમકિત હેય છે. ચેથા ગુણઠાણે ત્રણ પ્રકારના સમકિત મધ્યેથી કોઈપણ સમ્યકત્વ હોય અવિરતિ ગુણઠાણે જઘન્યથી અંતર્મુહૂર્ત કાલ અને ઉત્કૃષ્ટ છાસઠ સાગરેપમ ઝાઝેરો કાલ જાણ. - ગગન્ન જુવો, અંતમુદુ પીણાં ગવચ્ચે ! । समहियतेत्तीसयरे, उक्कोसं अंतमुहुलहुयं ॥ १ ॥ ૫ દેશવિરતિગુણરથાનક –અપ્રત્યાખ્યાનીય કૅધ, માન, માયા, લેભના ક્ષયથકી દેશવિરતિ ગુણ સ્થાનક પ્રાપ્ત થાય છે. જવને વ્રત પચ્ચખાણ ઉદયે આવે. જઘન્ય નમસ્કાર સહિયનું પ્રત્યાખ્યાન. ઉત્કૃષ્ટાં શ્રાવકનાં બાર વ્રત ઉદયે આવે, તિર્યંચને પણ દેશ વિરતિ ગુણઠાણું પ્રાપ્ત થાય છે. કિંતુ દેવતા નારકીને પાંચમું ગુણઠાણું પ્રાપ્ત થતું નથી. દેવતાને વ્રત પચ્ચખાણને ઉદય નથી. આ ગુણઠાણાની સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટી એક દેશ ઉણ પૂર્વ કેડી વર્ષની સ્થિતિ જાણવી. For Private And Personal Use Only
SR No.008540
Book TitleBhajanpad Sangraha Part 05
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy