SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨હવું શાને ? શેક કોને ? ૧૩૫ બહેચરદાસ રાત્રે વિદ્યાશાળામાં જઈને સૂઈ રહ્યા. મધરાતે એમની આંખ ઊઘડી ગઈ. એમને માતાપિતા યાદ આવ્યાં. રાતના અંધકારમાં જાણે પોતાની સામે માતા-પિતા ઊભાં હોય તેવું લાગ્યું. બહેચરદાસથી આપોઆપ હાથ જોડાઈ ગયા અને કહ્યું : “હે પિતા, હૈ માતા, તમારી પાસે રહીને હું તમારા ઘડપણની લાકડી બની શકયો નહિ. તમને સંતોષ આપવા મેં નોકરી સ્વીકારી. મારી પ્રગતિની આડે તમે કદી આવ્યા નહિ. હે માતા-પિતા ! મારાથી કોઈ અવિનય થયો હોય તો મને ક્ષમા આપશો.” રાત વધતી ગઈ. બહેચરદાસના અંતરમાં એક પછી એક સ્મરણો ઊભરાવા લાગ્યાં. એમણે કવિતામાં પિતાનું હૈયું ઠાલવીને માતા-પિતાને અંજલિ આપી. નાતના નરસી ગેર સવારે બહેચરદાસ પાસે આવ્યા. એમણે મૃત માતા-પિતાની પાછળ કેટલીક વિધિઓ કરવાની વાત છેડી, ગાયનું પૂછ પૂજવાની, viાબ તે For Private And Personal Use Only
SR No.008535
Book TitleBalakona Buddhisagarsuriji
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1978
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Children, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy