SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૦ ) સમજાવીને પ્રભુ મહાવીરસ્વામી પાસે દીક્ષા અંગીકાર કરી. એક દિવસે દીક્ષામાં નાના હૈાવાથી તેના સચારો ઉપાશ્રયમાં મારશુાની પાસે આવ્યા, તેથી રાજાના મહેલમાં સુકેામલ શય્યામાં સુઈ રહેનાર મેઘ મુનિને સાધુએના જવા-આવવાથી અને તેઓના પગ અથડાવાથી ઉંઘ ન આવી. તેથી તેમણે વિચાર્યું કે મારાથી આવી દીક્ષા ન પળી શકે, સવારમાં તે પ્રભુ મહાવીરને વંદન કરવા આવ્યા અને બધી વાત કહી દીધી. પાછા સોંસારમાં જવાની વાત તેમણે કરી. તેથી મહાવીરપ્રભુએ મૈત્રકુમારને સ્થિર કરવામાટે મેઘકુમારના પૂર્વ ભવ જણાવ્યા, અને હાથીના ભવમાં એક સસલાની દયા માટે પેાતાના એક પગ ઉંચા રાખ્યા હતા અને તેથી હાથી નીચે પડી ઘણું દુ:ખ સહન કરી મરણ પામ્યા, તે વાત જણાવી અને કહ્યુ કે હાથીના ભવમાં તે સસલાની દયા કરી તેથી તું મેઘકુમાર થયા, માટે સાધુનું ચારિત્ર પાળવામાં હજારો દુ:ખા પડે તેા પશુ તે સહન કરવાં જોઇએ કે જેથી મેાક્ષની પ્રાપ્તિ થાય પ્રભુની વાણી સાંભ ળીને મેઘકુમારે એ આંખા વિના બાકીના બધા શરીર ઉપરથી મમહ્ત્વ મૂકી દીધું અને ચારિત્ર પાળવામાં અડગ સ્થિર થયા. ધન્ય છે એવા મુનિવરને ! ! ચંદના રાજપુત્રી હતી, તેના પિતાના રાજ્ય ઉપર શત્રુરાજા ચઢી આવ્યા અને તેના પિતા હાર્યાં. તેથી તે પેાતાની માતા સાથે નાઠી અને એક સૈનિકના હાથે માવી ચઢી. સૈનિકે તેને એક શેઠને ત્યાં વેચી. શેઠની સ્ત્રીએ તેણીને એડીમાં નાખી, ચંદનાએ અહંમતપ કર્યા. એવામાં છદ્મસ્થાવસ્થામાં ગેાચરી માટે નિકળેલા શ્રી મહાવીર પ્રભુ તેજ શેઠના ઘેર વહેારવા આવ્યા અને તેમના અભિગ્રહ પ્રમાણે ચંદનાએ મહાવીર પ્રભુને અડદના બાકુળા વહેારાવ્યા પછી તે મહા વીરપ્રભુને કેવળજ્ઞાન ઉપજ્યા પછી તેમની માટી સાધ્વી થઇ. સતી સુભદ્રાના ઉપર તેની સાસુએ કલક ચઢાવ્યું, પણ તેણીએ ચાલણીવડે કુવામાંથી નીર કાઢીને ચંપાનગરીના દરવાજો ઉઘાડયા અને સતીઓમાં શ્રેષ્ટ ગણાઈ, સ ંતાને અને સતીઓને ઘણા કલંક ચઢે છે, દુ:ખા પડે છે, સંકટા આવે છે, પરંતુ ત્યારેજ તેમનું સંતપણું અને સતીપર્શે દુનિયામાં પ્રસિદ્ધ થાય છે. અશુભકર્મના ઉદયથી નળના અને For Private And Personal Use Only
SR No.008532
Book TitleAtmashikshabhavnaprakasha Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages124
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy