SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૫ ) રાવ્યા, માદક વડેારીને શ્રી નેમિનાથ પ્રભુની પાસે ઢઢણુ ઋષિ આવ્યા અને સ્વલબ્ધિથી આહાર મળ્યા એમ જણાવ્યું, ત્યારે પ્રભુએ કહ્યું કે એ તે કૃષ્ણે તમારા મહિમા કર્યો તેથી એ માદક મળ્યા છે. તેથી ઢંઢણુઋષિ તે મેદકને કુંભારના નિભાડામાં પરઠવવા ચાલ્યા અને ત્યાં જઇ ણુ કરતી વખતે આત્મભાવના ભાવતાં ભાવતાં તેમનામાં કેવલજ્ઞાન પ્રગટયું. ધન્ય છે એવા મુનિવરને ! ! કે જેણે પેાતાની લબ્ધિએ આહાર ન મળે તેા પારણાના દિવસે પાછા છ મહિનાના ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. કૂરગડુ નામના એક રાજાના પુત્ર હતા, તેમણે પૂર્વભવમાં મુનિ દશામાં તપ કરતાં ઘણા ક્રોધ કર્યાં હતા. તેથી તે તિગ યાનિ વગેરેના અવતાર પામતાં પામતાં રાજાના પુત્ર થયા અને તેમણે એક મહાન્ જ્ઞાની આચા કે જે ઘણા શિષ્યવાળા હતા તેમની પાસે દીક્ષા અંગીકાર કરી, પણ તેમને સવારના પહેારમાં ઘણી ભુખ લાગતી હતી, તેથી સૂર્ય ઉગ્યા કે એ ઘડી પછી તુ ગૃહસ્થાના ઘેરથી એક ઘડા ભરીને ભાત લાવતા હતા, અને જ્યારે ખાતા ત્યારે તેમની ભુખ ભાંગતી હતી, તેથી લેાકેાએ તેમનુ નામ સૂરગડુ પાડયું. એક વખતે સારા નગરની પાસે તેએ ગયા, ત્યાં ચાર મેાટા આચાયોએ મહિના મહિનાના ઉપવાસ કર્યા હતા. કેટલાકેાએ છ મહિનાના, કેટલાકેાએ ચાર, ત્રણ, બે. એક અને કેટલાક સાધુએએ પાખમણ, અઢાઇ ને છેવટે અર્જુમ કર્યા હતા, પણ કૂરગડુએ સાંવત્સરિક દિવસે પણ ઉપવાસ ન કર્યો અને સવારમાં વહેારવા નીકળ્યા. ગૃહસ્થ ભકતમાંના કેટલાકેએ વહેારાવતાં તેમની મશ્કરી કરી પણ તેમણે ખાખરા વગેરે વહેારીને આચાર્ચીને દેખાડ્યા. આચાર્યોએ અને સાધુઓએ પણ તેને તિરસ્કાર કરીને તેમના પાત્રમાં થુક્યા અને કહ્યું કે આવા મોટા દિવસે પણ નવકારશી કરે છે ? તને લજ્જા પણ નથી આવતી ? તું અમારા ગચ્છની અપકીર્તિ કરે છે, ફૂગડુએ સમતાભાવ ધારણ કર્યાં અને જરા પણ ક્રોધ ન કર્યા અને પેાતાના કર્મની નિંદા કરવા લાગ્યા, અને તેથી તેમનામાં આત્મભાવના પ્રગટ થતાં કેવલજ્ઞાન પ્રગટયુ. તેથી નજીકની દેવીએ તેમને વંદન કર્યું, બીજીમાજી આચાર્ય અને અને સાધુએ દેવીને હસવા લાગ્યા. દેવીએ કહ્યું કે, ફૂગડુ મુનિને For Private And Personal Use Only
SR No.008532
Book TitleAtmashikshabhavnaprakasha Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages124
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy