SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાવણ છે અને પ્રેમ છે તે હનમાન છે, મન છે તે દેશ છે, તૃષ્ણ તે લંકા છે, શરીરમાં રહેલ આત્મા તેજ ઈશ્વર છે અને તેમાંથી પ્રગટતી જ્ઞાનની કુરણું તેજ અન્તર્ધ્વનિ પ્રેરણા છે, આત્મા તેજ અસંખ્ય પ્રદેશી હોવાથી મહાન વિભુ છે, દુનિયાના લેકે પ્રભુનાં સેંકડે ભાષામાં જે જે નામો લે છે, તે આત્મજ્ઞાનથી ઉદ્ભવેલાં છે અને તે આત્મપ્રભુનાં છે એમ સમજીને આત્માનો ધર્મ ચિદાનંદરૂપ છે તે સમજ. ચિદાનંદની જે જે અંશે પ્રગટતા થાય છે તે તે અંશે આત્મપ્રભુનું પ્રાકટય થયું જાણ!! હે આમન! તારો ધર્મ ઓળખીને આત્મામાં સ્થિર થા. તું જ્યારે ખરા નિશ્ચયની લગનીથી આત્મધર્મની આરાધના કરવા ઉઠીશ, ત્યારે ખરેખર તું મોહનો ક્ષય કરીને આમધર્મને પ્રગટ કરી શકીશ. હે આમન ! આત્માને ધર્મ પ્રગટ કરવામાટે મન, વાણી અને કાયાના સાધન વિના લક્ષમીઘર વગેરે કઈ સાધનની જરૂર નથી. બાહ્ય જડવસ્તુઓમાં સુખની બુદ્ધિ થાય છે તે મિથ્યા માનીને આત્માના પરમાનંદરૂપ ધર્મને પ્રગટાવવા આત્મામાં અપાઈ જ !! અને જીવતાં સંસારને ભૂલી આત્મામાં જાગ! लाखचोराशी योनिमां, फरी फरी लियो अवतार; एकेकी योनिवली, अनंत अनंतीवार ॥६॥ चउदराज परमाणुा, सोय अग्गतोय ठाम; कर्मवशे जीव तुं भम्यो, मूरख चेत न ताम ॥७॥ निगोद सूक्षम बादर, पुद्गल अनंत अपार; एतो काल तुं तिहां रह्यो, हवे कर हइये विचार. ॥८॥ सास उसासा एकमें, मरण सत्तर अधकीध; सूक्षम निगोदमां वली, ए जिन वचन प्रसिद्ध ॥६॥ नरयविगलेन्द्री त्रियगति, भव कीया बहु हेव; भुवनपति व्यंतर ज्योतिषी, ओर विमानिकदेव ॥१०॥ ભાવાર્થ –ચાદરાજ લોકના આકાશના અસંખ્યાત પ્રદેશ છે. આકાશના એક એક પ્રદેશે અસંખ્યાતી નિગોદે છે. નિગદના અસંખ્ય ગેલા છે. એક એક આકાશના પ્રદેશમાં For Private And Personal Use Only
SR No.008532
Book TitleAtmashikshabhavnaprakasha Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages124
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy