SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે તમને સમજાશે કે આત્માનું ઐશ્વર્ય પ્રગટ ન થવા દેવામાં તમે કેવા આડા પથરાઓ નાખ્યા છે ? તે હવે તમને સ્પષ્ટ થશે, કોઈ મનુષ્ય જરા અપ્રિયવચન કહ્યું કે વાઘની પેઠે તમે તાડુકો કરે છે, અને સામા પાંચ પચાસ ગાળાના ગેળા છેડે છે, તેમાં કેની હાનિ થઈ, એ તમારા લક્ષમાં આવે છે ? મિત્રના. ઉપર જ કરવાથી તથા મૈત્રના ઉપર અદેખાઈના વિચારથી ખરી રીતે જોતાં કાનું બગડે છે, તે હવે તમને સ્પષ્ટ જણાય છે, પાંચ દશ જણા ભેગા થઈ નકામા વાતોના તડાકા મારી આડાઅવળા મનમાં આવે તેવા કુવિચારો કરે છે, તેમાં કેનું બગડે છે ? સમજો કે તેમાં તમારું બગડે છે, માલ વિનાના ગપાટા ઠેકવાથી ઢંગધડા વિનાનું અગબગડે ભસવાથી તમારું જ બગડે છે, અને તમે જ દુઃખી થાઓ છે, એમ નક્કી સમજજે, લીંબડાનું ઝાડ વાવી લીએાળીજ પામવાના, આંબાની આશા રાખશે નહીં. આ કથન આરસી જેવું તમને સ્પષ્ટ ભાસ્યા વિના રહેશે નહીં. અને એજ ઉપરથી વિચારતાં માલુમ પડશે કે જાગ્રત અવસ્થાના સર્વકાળમાં શુદ્ધ વિચાર કરવાની કેટલી બધી આવશ્યકતા છે, આત્મધર્મના વિચારમાં નિરન્તર નિમગ્ન www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008530
Book TitleAtmashakti Prakasha Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages150
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy