SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' ઉત્તમ માર્ગ છે. સૂક્ષ્મ અવલોકન બુદ્ધિ એ પણ શિષ્યમાં જરૂરી છે. જેની સૂમ બુદ્ધિ નથી, જેનામાં ગહન વિષે - સમજવાને જોઈતું ધર્ય તથા આત્મખલ નથી, તે બહુ અભ્યાસ કરી શકે તેમ આત્મ માર્ગમાં આગળ વધી શકે નહિ. આ બુદ્ધિ ખીલવવાને વાતે કોઈ પણ વિચાર તેણે એકદમ ગ્રહણ કરે નહિ. પિતાની બુદ્ધિ જ્યાં સુધી તે કબુલ કરી શકે નહિ ત્યાં સુધી તે સ્વીકારી લેવી નહિ, પણ તે સંબંધી મનન કરવું, તેની આલોચના કરવી, આરીતે - બુદ્ધિ સૂકમ થશે. વિચાર કર્યા વગર કેવળ શ્રદ્ધા રાખી કે પણ વિચાર અંગીકાર કરવાથી બુદ્ધિ ખીલતી નથી. કેઈ પણ વિચારને સામે પક્ષ શું કહે છે, તે તપાસવું, અને તેની દલીલોમાં કેટલી સત્યતા છે, તે વિચારવી, અને પછી સત્યને ગ્રહણ કરવું. તર્ક શાસ્ત્રના અભ્યાસથી બુદ્ધિ બહ - સારી રીતે ખીલે છે, ધ્યાનથી પણ બુદ્ધિ સૂક્ષ્મ થાય છે. બધા વિચારોને દુર કરી, ફક્ત એકજ વિચારશ્રેણી અથવા વિષય ઉપર મનને સ્થિર કરવાથી, તે વિચાર અથવા વિષચનું યથાર્થ જ્ઞાન મળે છે, એટલું જ નહિ પણ બુદ્ધિ પણ તીવ્ર થાય છે, માટે તે ગુણ શિષ્ય ખીલવે જેઈએ. આ પ્રમાણે સૂમ બુદ્ધિ રૂપ સાધન વડે શિષ્ય તત્વ શું છે, અને અતત્વ શું છે, તેને નિર્ણય કરે, આ કામ સુગમ નથી, પણ ગુરૂકૃપા વડે, અને બુદ્ધિને સદુપયોગ કરવાથી, તે કામ થઈ શકે છે. ભૂતકાળમાં અનેક પુરૂષ તસ્વાતત્ત્વને નિર્ણય કરી સત્ય માર્ગ પ્રમાણે ચાલવાને સમર્થ થયેલા છે, હાલ પણ થાય છે, અને ભવિ For Private And Personal Use Only
SR No.008529
Book TitleAtmapradip Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages318
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy