SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ–આત્માને જે અનેક વિશેષણે આપવામાં આવે છે તેમાં તેને શિવ અને સ્વયંભૂ પણ કહેવામાં આવે છે. જે નામ આત્માને આપવામાં આવેલાં છે, તે બધાં સાર્થક-નામ પ્રમાણે ગુણવાળા છે શિવ એટલે કલ્યાણ, તે કલ્યાણના નિવાસ સ્થાનરૂપ ભંડારરૂપ આત્મા છે. આત્મા કલ્યાણ નિધિ છે. વળી તે સ્વયંભૂ છે, તે પિતાની મેળે આવિભાવની અપેક્ષાએ પ્રકટ થાય છે, તે કાળથી અમય. દિત છે. કોઈ આત્માને કર્તા નથી, આત્મા સર્વને કતાં છે. આવું જે આત્માનું સ્વરૂપ છે તેનો અંતર્ દષ્ટિથી વિચાર કરેતેની ઉપાસના કરવી, ખરા ભાવથી તેની ભક્તિ કરવી. જે મનુષ્ય ખરા અંત:કરણથી આત્મ તત્વની ઉપસના કરે છે, તેજ પુરૂષ આત્મિક રૂદ્ધિ જોગવવાને પાત્ર થાય છે. ભકિત અખંડિત હેવી જોઈએ, તે ફળ પણ અમે ખંડિત મળે. “ધાર તરવારની સહેલા દોહેલી ચૌદમા ઇન તણ ચણ સેવા” એ શ્રીમાન્ આનંદ ઘનજીના મહા વાક પણું સૂચવે છે કે આત્મપ્રભુની ઉપાસના-ભકિત કરવી, તે તરવારની ધાર પર ચાલવાં કરતાં પણ અતિ વિકટ કામ છે. તલવારની ધાર પર ચાલનારને પણ મને બરાબર નિયમમાં રાખવું પડે છે, શરીર વશ કરવું પડે છે, છતાં તે ક્રમ આત્મ પ્રભુની સેવાની આગળ પ્રમાણમાં કાંઈ નથી. તું પિતેજ શિવ અને શંકર છે. આત્મા પોતેજ કલ્યાણ સ્વરૂપી છે, અને પરનું કલ્યાણ કરનાર છે. ભકતામરમાં પણ કહ્યું છે કે – For Private And Personal Use Only
SR No.008529
Book TitleAtmapradip Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages318
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy