SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પૃથ્વી ઉપર ચાર દાન પ્રસિદ્ધ છે, પણ તે સઘળાં દાન ધર્મદાનના ફળના સેળમા ભાગે પણ આવે તેમ નથી. અન્નદાનથી જીવને ક્ષણિક તૃપ્તિ થાય છે, વળી આષધ દાનથી પણ અમુક વખતને સારૂ લાભ થાય છે. વિદ્યાદાનથી જાવજીવ લાભ થાય છે; અભયદાનથી અને મુક વખતને સારૂ તે જીવ બચે છે, અને મરણના ભયથી છોડાવનારને ઘણું પુન્ય ઉપાર્જન થાય છે, પણ રહેલું મોડું સિને મરવાનું તે હોય છે. માટે તે બચેલે જીવ હેલે અથવા મોડે મરે તે છે. પણ જન્મ મરણના ચક્રમાંથી હમેશને વાસ્તે બચાવનારતે ધર્મદાન છે, માટે તે ઉત્તમોત્તમ છે, તેના જેવું દાન આ વસુધામાં એક પણ નથી શ્રાદ્ધવિધિમાં કહ્યું છે કે માતપિતાની ગમે તેટલી ભક્તિ કરે તે પણ માતપિતાએ કરેલા ઉપકારને બદલે વળે તેમ નથી, પણ જે તેમને સદ્ધર્મની શ્રદ્ધા પુત્ર કરાવી શકે તે તેમના ઉપકારને બદલે વાગ્યે તેણે કહી શકાય આ રીતે પણ ધર્મના દાનની મહત્તા આપણને માલૂમ પડે છે, ધર્મદાનની આટલી મહત્તા જણાવી તે ઉપરથી કેઈએ એમ ન માનવું કે બીજા દાન નિરર્થક છે, તે પણ જરૂરનાં છે, અને મેક્ષની નિસરણી ચઢવાનાં ઉત્તમ પગથીયાં છે; પણ ઉંચામાં ઉંચું પગથીયું જોઈએ તે ધમૈદાન છે એટલું જ કહેવાને આશય છે. સમ્યજ્ઞાનદાતા ગુરૂને ઉપકાર કેઈથી કદાપિ વળે તેમ નથી કહ્યું કે – सम्यक्त्व दानदातारं गुरुं महोपकारिणम् ॥ कोटाकोटिभः शिष्या उपकत नवमीशते ।। સમકતરૂપી દાનના આપનારા ગુરૂ મહા ઉપકારી છે, For Private And Personal Use Only
SR No.008528
Book TitleAtmapradip
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year1909
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy