SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮૩ જીદગી નકામી જાય છે. શ્રી વીર પ્રભુએ સર્પને બોધ આપી તેને ઉદ્ધાર કર્યો. શ્રી મુનિસુવ્રત તીર્થકર સિદ્ધપુરથી વિહાર કરી ભરૂચ જઈ ઘેડાનું રક્ષણ કર્યું -કેટલી ભાવ દયા? જે જે આપણને મળે તેને બીજાના લાભ સારૂ ઉપગ કર, એટલે આપણને વિશેષ મળશે. જે ખાબોચીયામાં પાણી ભરાઈ રહે છે, તે ખાબોચીયામાં કીડા પડે છે, અને ગંદવાડ થાય છે, પણ નદીને પ્રવાહ વહેતું રહે છે, તેનું પા પણ નિર્મળ રહે છે. માટે આપણે પણ નદીના પ્રવાહ પેઠે રહેવું જોઈએ. જગતમાં જેટલું શુદ્ધ છે, તેને કહેવાની પ્રણાલિકા-નીક સમાન આપણે થવું જોઈએ, આપણી દ્વારા સારી સારી વસ્તુઓ બીજાને મળશે, તેમાં આપણે પણ શુદ્ધ થતા જઈશું. માટે આ લેકમાં બેધ આપ્યા પ્રમાણે બીજાનું દુઃખ નાશ કરવું, એજ ઉતમ જીએ વ્રત લેવું જોઈએ; અને એવા જીવને સઘળે વખત સત્કાર્યમાં જશે; તેનું મન નિર્મળ થશે. કોઈ જીવ ગમે તે પાપી જણાત હોય છતાં તેની નિન્દા કરવી નહિ. નિન્દાથી કેઈ સુધર્યું નથી, અને સુધારવાનું નથી. કેઈના મેં ઉપર સહી હૈ ળાઈ હોય તે તેને કાળો કહેવા કરતાં તેને મેં આગળ દર્પણ ધરવું; એટલે પોતાની કાળાશ તેના જોવામાં આવશે. માટે નિન્દા કરવા કરતાં, અવગુણ તરફ દષ્ટિ કરવા કરતાં, તેના આગળ સદગુણને આદર્શ (દર્પણ નમુને) મુકે એટલે તેની ભૂલ તે સુધારશે. આ જગતમાં કેણ દોષયુક્ત નથી? જેનામાં કાંઈ પણ ખામી ન હોય તેવે વીરલે કોણ છે? દોષ રહિત વીતરાગ છે, બાકી દરેકમાં દોષ તે For Private And Personal Use Only
SR No.008528
Book TitleAtmapradip
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year1909
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy