SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૩ છે. પ્રથમ તેઓ ધર્મ કરે છે. ધર્મથી ધન અને ઈસિત વસ્તુ મળે છે. તે મળતાં તેને ઉપગ કરતાં તેની અસારતા અને અને અનિત્યતા જણાય છે. સાંસારિક પદાર્થો દુઃખગર્ભિત છે, એ તેને અનુભવ થાય છે. પછી તેના ઉપરથી ધીમે ધીમે મોહ ઉતરવા માંડે છે. તે વસ્તુ મળતાં બહુ હર્ષ થતું નથી, તે વસ્તુના અભાવે કે વિયેગે બહુ શેક થતા નથી. તે બન્ને સ્થિતિમાં તે સમભાવ ધારણ કરતાં શિખે છે; અને આવી તેની વૃત્તિ દ્વારા તે મોક્ષ સાધી શકે છે, એટલે કે જડપદાર્થમાં બંધાતો નથી, તે મુકત થાય છે. જડપદાથે તેના પર અસર કરવા સમર્થ થતા નથી. આવી સ્થિતિમાં તેનું મન શાંત અને સ્થિર થાય છે. આ તેના મનની શાંતતા અથવા સ્થિરતા જ્ઞાન પ્રાપ્તિનું ઉમે ત્તમ સાધન હોવાથી તે જ્ઞાન પ્રાપ્ત કરે છે. જ્ઞાનમાં વિશેષ વિશેષ વધતાં વધતાં, જ્ઞાનને આવરણ કરનાર કમંદળને નાશ થતાં થતાં તે પ્રથમ બુદ્ધ થાય છે અર્થાત્ સર્વજ્ઞ થાય છે, કેવળશ્રીને તે જોતા બને છે, અને ચાર અઘાતી કર્મને પણ ક્ષય થતાં તે સિદ્ધ બને છે. આ રીતે તે અનુકમે ઉંચે ચઢતાં ચઢતાં શિષ્ય સિદ્ધ થાય છે. ____ अवतरणम्-ऐहिकामुष्मिकं सौख्यमनित्यमात्मनस्तु नियमिति दर्शयति ।। श्लोकः ऐहिकामुष्मिकं सौख्यं, जानीहि क्षणिकं मुधा ॥ अनन्तं शाश्वतं सौख्यं, भजध्वं सत्यमात्मनः ४० For Private And Personal Use Only
SR No.008528
Book TitleAtmapradip
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year1909
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy