SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -મધમને માર્ગ સરળ નથી. જગતને જે વસ્તુ પ્રિય અને ખુશકારક લાગતી હોય, તેને પણ ત્યાગ કરવાને તેને તમે ત્પર રહેવું પડે છે, દેહાધ્યાસને ત્યાગ કરે પડે છે, અને જરાપણે પ્રમાદ આત્મ માર્ગમાં મેટા વિનરૂપ છે, એ સિદ્ધાન્ત પ્રમાણે વર્તવું પડે છે. આ બાબત મેક્ષાધિકારીને - વાસ્તુ છે. જેઓને આ સંસારમાં આનંદ પડે છે, જેને જગતના વિષયો આમજ્ઞાન કરતાં વિશેષ રસવાળા લાગે છે, તેમને વાસ્તે આ ઉપદેશ નથી. તેઓ જ્યારે આ જ. ગતમાં અનેક ભવભ્રમણ કરશે, અને ગોથાં ખાઈ ખાઈ શીખશે કે આત્મા સિવાયની સર્વ વસ્તુઓ અને ક્ષણિક છે; ત્યારે તેઓ આ માર્ગે ચાલવાને લાયક અધિકારી થશે, અને ત્યારે આ માર્ગ તેમને સ્વયમેવ રૂચશે. પણ જેઓનું સાધ્યબિન્દુ આત્મજ્ઞાન અને મેક્ષ છે, તેઓએ આત્મ વિ. ષયક ધર્મનું આરાધન કરવું; કારણકે તેથી જ અંતે જ્ઞાનની ઉત્પત્તિ છે, અસતમાંથી સની ઉત્પત્તિ થઈ એમ કદાપિ સાંભળવામાં કે જોવામાં આવ્યું નથી. જે જડ પદાર્થ છે, જેમાં આમધર્મ બિલકુલ નથી, તેમાંથી આ મધર્મની પ્રતીતિ શી રીતે થઈ શકે ? દીપ દીપને પ્રકટ કરવામાં સહાયભૂત થાય, પણ અંધકાર કદાપિ થઈ શકે નહિ, તેમ આમજ્ઞાનને વાસ્તે આત્માની જ ઉપાસના કરવી. એજ અંતે આત્મજ્ઞાનનું ઉત્તમ સાધન છે. જે અસતમાંથી સની ઉત્પત્તિ થતી હોય તે ગગનમાં પુપ ઉગવા જોઈએ, પણ તે જેમ બનતું નથી, માટે નિશ્ચય નયનું આલબં ધરી આત્મ દ્રવ્યની ઉપાસના કરવી. વ્યવહારની For Private And Personal Use Only
SR No.008528
Book TitleAtmapradip
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagar
Publication Year1909
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy