SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आदेयत्यागवृत्तिस्तु नाऽस्ति बाह्येषु योगिनाम् । शुद्धोपयोगिनां त्याज्यं ग्राह्यं च नैव मोहतः ॥९१॥ યોગીઓને બાહા વ્યાપારોમાં આદેય ત્યાગવૃત્તિ અર્થાત્ હેયોપાદેયવૃત્તિતો હોતી જ નથી. કારણકે શુદ્ધોપયોગવાળાઓને મોહથી કોઈપણ વસ્તુ ત્યાજ્ય અને ગ્રાહ્ય છે જ નહીં. (૯૧). प्रारब्धाद् ग्रहणं त्यागो मनोवाक्कायतो भवेत् । कायादीनां प्रवृत्तिषु साक्षी शुद्धोपयोगवान् ॥९२ ॥ મન-વચન-કાયાથી પ્રારબ્ધને લીધે ગ્રહણ અને ત્યાગ થાય છે. વસ્તુતઃ શુદ્ધોપયોગવાળો કાયાદિની પ્રવૃત્તિઓમાં સાક્ષી જ હોય છે. (૯૨) दृश्यादृश्यपदार्थेषु साक्षिण उपयोगिनः । मनोवाक्कायचेष्टासु प्रारब्धेष्वपि साक्षिणः ॥ ९३ ॥ શુદ્ધોપયોગવાળાઓ દશ્ય અને અદશ્ય પદાર્થોમાં સાક્ષીરુપ રહે છે. તથા મન, વચન, અને કાયાની ચેષ્ટાઓમાં અને પ્રારબ્ધ કર્મના ઉદયમાં પણ સાક્ષીરુપ રહે છે. (૯૩) विश्वं प्रभुमयं भाव्यं परब्रह्मानुभूतये। अनुभूय पराऽऽत्मानं स्वाऽऽत्मानं भावयेत् प्रभुम् ॥९४॥ પર બ્રહ્મની અનુભૂતિ કરવા માટે વિશ્વ પ્રભુમય છે, એમ ભાવન કરવું જોઈએ અને પરાત્માનો અનુભવ કરીને પોતાના આત્માને પ્રભુરુપ ભાવવો જોઈએ. (૯૪). विश्वेन सार्धमात्मैक्यमनुभूय प्रभुर्भवेत् । आत्मशुद्धोपयोगन विश्वैक्यानुभवो भवेत् ॥९५ ॥ આત્મશુદ્ધોપયોગથી વિશ્વની સાથે એકતાનો અનુભવ થાય છે. અને વિશ્વની સાથે પોતાના આત્માનું ઐક્ય અનુભવીને શુદ્ધોપયોગવાળો પ્રભુ થાય છે. (૯૫) ૧૯ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy