SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अर्हन्नस्ति निजात्मैव सिद्ध आत्मैव शाश्वतः । आचार्योऽस्ति निजात्मैव स्वात्मैव वाचकप्रभुः ॥५३१॥ પોતાનો આત્મા જ અરિહંત છે. આત્મા જ શાશ્વત સિદ્ધ છે. પોતાનો આત્મા જ આચાર્ય છે. પોતાનો આત્મા જ વાચકપ્રભુ અર્થાત્ ઉપાધ્યાય છે. (પ૩૧) साधुरस्ति निजात्मैव स्वात्मैव परमेष्ठिराट् । शुद्धदर्शनमात्मैव ज्ञानमात्मैव सर्वथा ॥५३२॥ પોતાનો આત્મા જ સાધુ છે. પોતાનો આત્મા જ પરમેષ્ઠિરાજ છે. આત્મા જ શુદ્ધદર્શન છે. આત્મા જ સર્વથા જ્ઞાન છે. (૫૩૨) स्वान्यप्रकाशकं ज्ञानं ज्ञानेनाऽऽत्मा प्रलक्ष्यते । स्वभाव आत्मनो मुख्यो ज्ञानं ब्रह्मैव सर्वदा ॥५३३ ॥ જ્ઞાન સ્વપર પ્રકાશક છે. જ્ઞાનથી આત્મા જણાય છે. આત્માનો મુખ્ય સ્વભાવ જ્ઞાન જ સર્વદા બ્રહ્મ છે. (૫૩૩) निजात्मैवाऽस्ति चारित्रं रमणं स्थैर्यमात्मनि । शुद्धोपयोग एवाऽस्ति चारित्रं कर्मनाशकम् ॥५३४ ॥ પોતાનો આત્મા જ ચારિત્ર છે. આત્મામાં સ્થિરતા એ જ રમણતા છે. તેથી શુદ્ધોપયોગ જ કર્મોનો નાશ કરનારું ચારિત્ર છે. (૫૩૪) आत्मवीर्यं निजात्मैव वर्तते तन्निजात्मनि । आत्मासंख्यप्रदेशेषु पर्यायगुणशक्तिदम् ॥५३५ ।। પોતાનો આત્મા જ આત્મવીર્ય છે. જે આત્માના અસંખ્ય પ્રદેશોમાં પર્યાય અને ગુણની શક્તિને આપનારું છે. તે આત્મવીર્ય પોતાના આત્મામાં રહેલું છે. (૫૩૫) ૧૦૭ For Private And Personal Use Only
SR No.008526
Book TitleAtmashuddhipayog Anuwad
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy