SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૧ ) તથા જલ વાપરવું જોઈએ, એગનાં પુસ્તકનું વિશેષતઃ વાચન તથા શ્રવણું કરવું, સંસારની ઉપાધિથી શોક ચિંતા થાય તેમ પ્રવૃત્તિ કરવી નહીં. મનુષ્ય સંસર્ગવાર્તાલાપ વિગેરે ઉપાધિસગેથી બનતા પ્રયત્નથી દૂર રહેવું, બેમાસ પશ્ચાત્ કૈવલકુંભકની કિયા શરૂ કરવી. કવલકુંભકથી ચિત્તની અપૂર્વ ઉત્સાહશકિત વૃદ્ધિ પામે છે. પૂર્વોકત પ્રાણાયામ કરતાં પણ કેવલકુંભકથી ચિત્તની સ્થિરતા વિશેષ થાય છે. શરીરની નીરોગતા વૃદ્ધિ પૂર્વક, વાત પિત્ત કફની સામ્યતા પ્રગટે છે. વળી કેવળકુંભકથી છાતીના રોગ, ક્ષયરેગ, શ્વાસરોગ, વિગેરેને ક્ષય થાય છે. કેવળકુંભકની કિયાથી મનને શ્રમ લાગે છે, અને તેથી મનમાં અનેક પ્રકારના વિચાર ઉઠતા બંધ થઈ જાય છે. કેવળકુંભકની કિયાથી શરીર હલકું થાય છે, અને ચાલતાં શ્રમ લાગતું નથી. શરીરમાં આહારનું પાચન કેવળકુંભકની કિયાથી સારી રીતે થાય છે, વળી કેવળકુંભકની કિયાથી સ્વપ્રમાં વીર્યનું અલન થતું હોય છે, તે બંધ પડે છે, અને ઉર્ધ્વરેતાપણું પ્રાપ્ત થાય છે. કેવળકુંભકની ક્રિયા, ગુરૂની પાસે રહી કરવી. પિતાની મેળે ડહાપણ વાપરી કેવલકુંભકની ક્રિયામાં પ્રવૃત્ત થવું નહિ. કહ્યું છે કે-હેવાલ રાધે , જે uિg વધે . હવે કેવળકુંભકની કિ યામાં પ્રાણાયામની પેઠે સર્વ વિધિ સાચવી શુભ આસન For Private And Personal Use Only
SR No.008525
Book TitleAtma Prakasha 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy