SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૭૮) નું અનંત સુખ પ્રગટાવી શકાતું નથી–જ્યારે કર્મ નાશ પામે છે, ત્યારે પરમા મા જીવમાં રહેલું અનંતસુખ પ્રગટાવી શકે છે જ્યારે કર્મનો નાશ થાય કે તુરત તેમના આત્માનું અનંતસુખ પ્રગટ કરે છે જે એમ કહેશો તે અમે કહીએ છીએ કે, કર્મને નાશ થતાં, સ્વતઃ આત્મામાં રહેલ અનંતસુખ પ્રકટી નીકળે છે. તેમાં પરમાત્માએ સુખ પ્રગટાવ્યું એમ કહેવું તે વ્યર્થ કરે છે. જેમ સૂર્યની ઉપર રહેલું વાદળાંનું આવરણ નાશ પામતાં, સ્વતઃ પ્રકાશ પ્રગટે છે. તે પ્રકાશને અન્ય કોઈએ પ્રગટાવ્ય એમ માનીએ તે તે વ્યર્થ ઠરે છે, તેમ અત્ર પણ આત્માઓને લાગેલાં કર્મ નાશ પામવાથી સ્વતઃ અનંતસુખ આભાઓનું પ્રકાશી નીક યું. એમ સિદ્ધ થયું તેથી ઈશ્વરે જોના આમામાં રહેલું અનંતસુખ પ્રગટાવ્યું એમ માનવું વ્યર્થ ઠર્યું. અને જ્યારે ધ્યાનથી કર્મ નાશ પામતાં, આત્મામાં જ આત્માનું અનંતસુખ પ્રકાશી નીકહ્યું. ત્યારે આત્મા પરમાત્મારૂપ થયે તેથી સ્વામિ સેવકભાવ રહ્યો નહીં અનેકાન્તવાદમાં પરમાત્મા છે તે આત્માને ધ્યાન કરવામાં પુષ્ટઆલંબનરૂપ નિમિત્ત કારણ હોવાથી નિમિત્ત કારણની અપેક્ષાએ આત્મામાં અનંતસુખ પ્રગટાવે છે. એમ કહી શકાય છે. પણ ઉપાદાન કારણની અપેક્ષાએ કારણભૂત પરમાત્મા નથી. જેમ ઘટનું ઉપાદાન કારણ માટી છે. અને નિમિત્ત કારણ કુંભકાર For Private And Personal Use Only
SR No.008524
Book TitleAtma Prakasha 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year1907
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy