SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૪ ) પણુ જોવુ પડે છે. લક્ષ્મીના લીધે ગૃહસ્થાના અનેક દોષો ઢાંકાઇ જાય છે. ભાટ, ચારણ, છાપાવાળાઓ પણ લક્ષ્મીવંતને, જી રાવ સાહેબ, મહેરબાન, વિગેરે શબ્દોથી લાવે છે. તથા છાપામાં લક્ષ્મીવંત પુરૂષો પહેલા ચડે છે. લમીથી અનેક પ્રકારનાં ભાજન પ્રાપ્ત થાય છે. અહા ! લક્ષ્મી તારા અદ્ભુત મહિમા છે. તારા વિના મનુષ્યાને સંસારવ્યવહાર ચલાવવામાં અનેક ાતની આપત્તિયા તથા સકલ્પ વિકલ્પ થયા કરે છે. એ પ્રમાણે ચેતનાલ શેઠે લક્ષ્મીના વિચાર કરી નિશ્ચય કર્યા કે કાઈ તપ, જપ કરીને દેવતા પ્રસન્ન કરી વરદાન મેળવી ધનવાન થાઉં. શુભ શકુને ચંદ્રરવર વહેતાં પરદેશ ગમન કર્યુ. ગામે ગામ ગમન કરતા ચેતનલાલ સાબરમતીના કાંઠે આવી પહેાંચ્યા. પ્રભાતના સમય થયા છે. આકાશમાં પક્ષીયા ઉડાઉડ કરી રહ્યાં છે. વિદેશી પુરૂષો એક સ્થાનથી અન્યત્ર ગમન કરે છે. ચેતનહાઇ સામરમતીમાં સ્નાન કરી આગળ ચાલ્યા. તે એક ઉચ્ચ શિખર તેની નજરે પડયુ તેની તરફ શુભાશાથી ગમન કર્યું. દેવાલયમાં પ્રવેશતાં, આસપાસ વૃક્ષની ઘટા દેખાઇ, નદીનાં નાળાં પણ પાસે દેખાયાં, અનેક પક્ષીઓ કલેાલ કરતાં દેખાયાં, નાની નાની પ્રાચીન દેરીએ દેખી અનેક પ્રકારના તર્ક વિતર્ક કરતા ચેતનલાલ દેવાલય નજીક આવ્યેા. ગગનને ચુંબન કરતી ધ્વજા અં For Private And Personal Use Only
SR No.008524
Book TitleAtma Prakasha 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year1907
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy