SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧ર) ત્માની વર્ણવે છે. સાતનય સાપેક્ષપણે સાચા જાણવા. એકબીજાથી નિરપેક્ષપણે વર્તે તે, સુનય પણ કુનય કહેવાય છે. સાત નયથી આત્મસ્વરૂપ જાણી પર્યાયાથિક નયથી કહેવાતું એવું આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર, આત્માને પિતાના સ્વરૂપમાં સ્થિરકરી પરભાવમાં જતો અટકાવે, વા ઉપશમભાવ તથા પશમભાવ દ્વારા ક્ષાયીકભાવની પ્રાપ્તિ કરવા નિમિત્તકરણની સાપેક્ષતાએ પ્રયત્ન કરેલ સફળ થાય છે. પોતાનું જ્ઞાનદર્શન ચારિત્રમય શુદ્ધસ્વરૂપ છે, તેજ હું છું. અન્ય જડ વસ્તુમાં ત્રિકાલમાં પણ હું નથી. મેહમાયાની વાસનાથી પરમાં અહં ત્વબુદ્ધિ ઉત્પન્ન થાય છે. પણ હવે જ્ઞાનયેગથી અન્તરમાં પ્રકાશ થવાથી મારું ચેતન્યસ્વરૂપ મેં જાણ્યું, હું આત્મા કેવો છું તે દર્શાવે છે, છો. शुद्धात्म द्रव्यमेवाहं, शुद्धज्ञानं गुणो मम || नान्योऽहं न ममान्ये चेत्यदो मोहास्त्रमुल्वणम् ॥ १॥ હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. શુદ્ધજ્ઞાનગુણ મારે છે, ક્ષાવિકભાવે ઉત્પન્નથતું કેવલ્યજ્ઞાન તેજ મારે મુખ્ય ગુણ છે. તેવિના શરીર, વેશ્યા, રાગ, દ્વેષ, મન, વચન, ધન, સ્ત્રી, પુત્ર, રાજ્ય, ક્ષેત્ર, પૃથ્વી, વગેરે હું નથી. આવી પૂર્ણદ્રા તથા સંવેગથી પશમભાવની તત્ત્વબુદ્ધિ છે તે મેહને ક્ષયકરવા સમર્થ શસ્ત્ર જેવી છે. અર્થાત્ આવું આત્મિકસુજ્ઞાન For Private And Personal Use Only
SR No.008524
Book TitleAtma Prakasha 1
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherVirchandbhai Krushnaji Mansa
Publication Year1907
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati & Soul
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy