SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ દેહ નહિ, દેહની મમતા છોડે દેહના નિભાવ માટે જે કંઈ સારા કામ કરે તે મમતા કહેવાય નહિ. દેહના આધારે તે ધાર્મિક કાર્યો થાય છે. તેનું જે રક્ષણ કરવામાં ન આવે તે ધર્મ ધ્યાન કયાંથી થઈ શકે ? ન જ થઈ શકે. ઘર મકાનનું રક્ષણ થાય નહિ તે આજના કાળમાં જંગલમાં જ જવાનો વારો આવે. પણ અમે એવું ક્યાં કહીએ છીએ કે તમે તમારા દેહ-ગેહને પાડી નાખે. અમે તે કહીએ છીએ કે જરૂર પૂરતું રાખે. મમતાના ગે જે વધારે રાખે છે તે ન રાખે અને મમતાનો ત્યાગ કરે. પરિગ્રહ વધારવા પહેલાં જ્ઞાન ધ્યાનના ગે મમતાને ત્યાગ હોય તે તે ઉત્તમ છે. પરિગ્રહને વધારી તેનો ત્યાગ કરો અગર કરવામાં આવે–આવશે તો યે મમતાના નિમિત્તો મળતાં તે પુનઃ આવશે પરિગ્રહ :ઉપરની મમતા, તેની આસક્તિ બધાયને પતિત કરી મહાદુઃખમાં સપડાવે છે. માટે પરિગ્રહ ઉપરની મમતા ત્યાગ કરવા જેવી છે. દેહ–હ વિગેરે પરિગ્રહ કહેવાય છે. તેની મમતાને ત્યાગ કરી જે ધર્મ ધ્યાન કરે છે તેને મહિમા દેવે પણ બરાબર વર્ણવી શકતા નથી. એવા મમતા ત્યાગી સુ પાસે દે પણ આવીને નમસ્કાર કરે છે ને તેમના ગુણોની પ્રશંસા કરે છે. For Private And Personal Use Only
SR No.008521
Book TitleAntarjyoti Part 4
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1967
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy