SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંતર જ્યોતિ ૧૩૫ પ્રમાદ અને પરમાનંદ તમારા આત્માનું કલ્યાણ થાય તે માટે કેવલજ્ઞાનીઓ ઉપદેશ આપે છે. અને દરેક પ્રાણીઓ આધિ-વ્યાધિ-ઉપાધિ વિગેરેને નિવારી પરમાનંદ પ્રાપ્ત કરે એવા ઉપાય બતાવે છે. શ્રદ્ધાળુઓ જે એ બતાવેલા ઉપાને અમલ કરે તે જ ભવરેગના કષ્ટો દૂર કરી શકે. દેહના રેગ, ભવના રેગ તેમજ જન્મ-મરણના કષ્ટો નાશ પામતા નથી, તેનું કારણ એ છે કે તમે જ્ઞાનીઓના ઉપદેશનું એક ચિત્તે શ્રવણ કર્યું નથી, અને જે કર્યું છે તે તે પ્રમાણે તેને તમે જીવનમાં અમલ કર્યો નથી. અસહ્ય પીડા ભેગવવા છતાં પણ જે તેને દૂર કરવાને પ્રયત્ન કરવામાં ન આવે તો તે પ્રમાદ કહેવાય. પ્રમાદ કદી પરમાનંદ અપાવી શકતા નથી. તેને જીવનમાંથી તમે હઠાવશે તે જ તમને પરમાનંદ પ્રાપ્ત થશે. પ્રમાદ કેવી હાની કરે છે તેનું જ્ઞાન કરીને તેને ખંખેરી નાંખવા તમે પ્રયત્ન કરે. કારણ પ્રમાદ એ જ ઘણા દુઃખોનું મૂળ છે. અમરતા દેવે પણ અમર હોય છે, અને મનુષ્યનું નામ પણ અમર હોય છે છતાં પણ જન્મ-મરણના સંકટો ટાળી શકાતા નથી. દેવે અને મનુષ્ય અનંતજ્ઞાનીના ઉપદેશને પામી વિષય કષાયને ત્યાગ કરી આત્માના ગુણ મેળવે તે જ તેઓ સત્ય અમરતા મેળવી શકે. અને અનંત સમૃદ્ધિ પામે, For Private And Personal Use Only
SR No.008521
Book TitleAntarjyoti Part 4
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1967
Total Pages275
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy