________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૩૮ સંતાપાદિક ખસતા નથી, માટે આ સારો ઉપાય નથી પણ ધર્મની બરાબર આરાધનાપૂર્વક આત્મવિકાસ કરે તે સાચે માર્ગ છે. જન્મ–જરા-મરણજન્ય આધિ, વ્યાધિ અને વિડંબનાઓને ટાળવા માટે ઉત્તમ પુરૂષોએ બીજા ઉપાયને કરેલ નહી હોવાથી અને ધર્મની આરાધનાપૂર્વક આત્મોન્નતિ કરેલ હોવાથી તે તે દુઃખ વિડંબનાઓને મૂળમાંથી પણ નષ્ટ કરેલી છે. તમે પણ આ માર્ગને અનુસરશો તે જ દુઃખને હટાવી સાચા સુખના સ્વામી બનશે. આ સિવાય સાચા સુખને બીજો ઉપાય નથી. સત્તા-સંપત્તિ-યૌવનાદિક હોય ત્યાંસુધી ધર્મની આરાધના કરી આત્મિક વિકાસ સાધી લે–અન્યથા તે કાયમ રહેશે તે વિશ્વાસ રાખવે નહી. વિશ્વાસ રાખે છે, તેઓ જ મહા સંકટના ભક્તા બને છે અને પોતાની શક્તિને અપવ્યય કરતા રહે છે. આત્મવિકાસ સધાતાં સર્વે અનુકૂળ સામગ્રી મળી રહેશે.
૭૧. હાથપગ તેમજ શરીરની શુદ્ધિ કરવા માટે વિચારપૂર્વક ચેકનું પાણું લાવીને શુદ્ધિ કરી તેથી સમજતા નહી કે માનસિક શુદ્ધિ થઈ શારીરિક શુદ્ધિથી માનસિક શુદ્ધિ થાય છે અને થશે તે જાતિ છે. માનસિક શુદ્ધિ તે સમ્યજ્ઞાન, સમ્મચારિત્રનું પાલન કરવાથી બની શકે છે માનસિક શુદ્ધિ થતાં, કાયિક શુદ્ધિ થતાં આધિવ્યાધિ વિપત્તિ એનું જોર ચાલતું નથી અને આત્માના જે ગુણે પર દબાણ છે તે ઓછું થતું જાય છે. શારીરિક શુદ્ધિવડે ચિતા-પરિતાપાદિક ઓછા થતા નથી માટે માનસિક શુદ્ધિ માટે પ્રભુની પૂજા કરવાપૂર્વક આજ્ઞા મુજબ વર્તન રાખે, તેથી અપૂર્વ આનંદ આવતે રહેશે. અત્યાર સુધી શારીરિક શુદ્ધિ પાણી દ્વારા કરી
For Private And Personal Use Only