SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬૯ ૭૩૧. કાસરાગમાં સ્નેહરાગમાં અને સ્વમન્તવ્યના પ્રચાર કરવા માટે તથા મમતાના ચગે અહુકારની સફલતા કરવામાં તથા સ્વપ્રસિદ્ધિના ચેાગે કીર્ત્તિ જન્સ મેળવવા માટે તેમજ રસગારવ-ઋદ્ધિગારવ અને શાતા ગારવની પુષ્ટિ માટે ક્યા શ્રીમતા પૈસાના વ્યય કરતા નથી ? દરેક શ્રીમંતા તેમાં વ્યય કરતાં પાછા પડતા નથી. વ્યય કર્યાં કરે છે, પરંતુ નિષ્કામસાવે પરાપકારાર્થે પાછા હુઠે છે; કોઈ માગણી કરે કે આ સારા કાર્યમાં સહકાર આપવાની આવશ્યકતા છે ત્યારે કહેશે કે તે માટે વિચાર કરીશુ. હાલમાં તા ખની શકે એમ નથી. તેઓ નિષ્કામભાવે સારા કાર્યોંમાં સત્ય લાભને દેખતા નથી અને ક્ષણુ સ્થાયી રાગાદિકમાં દરરોજ ક્ષણમાત્ર પણ વિલંબ કરતા નથી; તેા પછી આત્માન્નતિ ક્યાંથી સધાય ? કામાદિકના ચેગે ભવિષ્યની ચિન્તાએ તેએનેા પીછા મૂકતી નથી અને તે ચિન્તાએાના ઘેરાવાથી તેમજ આશા પૂર્ણ ન થવાથી સદાય દુઃખના અનુભવ કરતા રહે છે. ૭૩ર. દુન્યવી સ્વાર્થ ખાતર માતા જ્યારે વિષ આપે અને પિતા વેચે, સ્ત્રી નાશી જાય, પુત્ર દગો દઇ ધનને પડાવી લઇને જુદા રહે, સગાં વહાલાં મૂર્ખ કહે, જ્ઞાતિના–ગામના લોકો પાગલ કહીને ધિક્કારે, તેવા વખતે ચિતાઓના-પરિતાપના પાર રહેતા નથી. જે તે પરિ તાપાદિકને ન કરતાં દેવ-ગુરુ અને ધર્મનું શરણ સ્વીકારેતે જ આત્મન્નતિ થાય તેમજ કેહાદની મમતા ટળે. ૭૩૩. જે માણસો વિષય વિકારામાં લુબ્ધ બન્યા For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy