________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૪ વિલંબ થાય નહીં પણ મહત્તા-પ્રતિષ્ઠામાં વધારે માનતા હોવાથી તેમાં ધનાદિકને ત્યાગ કરીને મનુષ્ય મકલાય છે અને આત્મ વિકાસ થશે, આમ માની બેઠેલ હોય છે તેથી વિષય કષાયના આવિર્ભા-વિકારેને ત્યાગ કરવામાં લક્ષ્ય દેતા નથી, એટલે મમતા-મૂરછ ઓછી થવી જોઈએ તે થતી નથી, કેઈ ધાર્મિક મનુષે લાખ રૂપિયા ધાર્મિક કાર્યોમાં ખર્યા અને પછી લાખે રૂપિયાને પાર કરીને લાખ રૂપિયા મેળવ્યા, તેથી મમતા-મૂરછ અલ્પ થઈ તેમ કહેવાય નહી; તેણે તે સ્વમહત્તા કે આબરૂ વધારવા ખાતર લાખ રૂપિયા ખર્ચી એમ કહેવાય; વેપારમાં નીતિનું પાલન કરનાર અને મૂરછ–મમતાને ત્યાગ કરનાર વિરલ હોય છે, માટે જે મનુષ્યએ સ્વાત્માની ઉન્નતિ કરવી હોય તેઓએ વ્યાપારાદિક-વ્યાવહારિક કાર્યોમાં પણ મમતા મૂછ અલ્પ થાય, અગર મૂળમાંથી નાશ પામે તે પ્રમાણે વર્તન રાખવું; બદલાની ઈચ્છા પણ રાખવી નહી; આ આર્ય. સંસ્કૃતિનો પ્રથમ પામે છે. મમતા-મૂછને ત્યાગ કરવો તે આત્મ શુદ્ધિનું અસાધારણ કારણ છે; માટે મમતા-મૂછ અ૫ થાય તે પ્રમાણે ધાર્મિક કાર્યોમાં ધનાદિકને વાપરે.
દ૬૮. ધાર્મિક ક્રિાએ અગર કાર્યો કરતાં પહેલાં વિચારેને શુદ્ધ કરવાની ખાસ અગત્યતા રહેલી છે; વિચારમાં અને આશયમાં જે મેહ મમતા–અહંકારની મલિનતા હશે તે ધાર્મિક ક્રિયાઓ અને ધાર્મિક કાર્યો કરવામાં સત્ય લાભ મળશે નહી, અને અધિક મલિનતા આવશે, કારણ કે વિષય કષાય-મેહ મમતા-અહંકાર–અદેખાઈ વિગેરે દેશેને ટાળવાને ઉપાય ધાર્મિક ક્રિયાઓ તથા કાર્યો છે, તેમાં જે મલિનતા
For Private And Personal Use Only