SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવે ત્યારે તેને ખવરાવી રાજી રાખે છે તેમજ સ્વપતિને જર બાજરીના રોટલા ખવરાવે છે; આવી સ્થિતિમાં પણ તે શેઠ તત્વજ્ઞાની તેમજ દયાળુ હોવાથી આનંદમાં રહે છે, આ પ*િ સ્થિતિની તેના ભાણેજને જાણું થઈ પ્રથમ જે સહાય કરેલી હતી તેને બદલે વાળવા તથા સહાય કરવા શેઠને દોર આગે; તે વખતે શેઠ તે ખેતરમાં હતા. તેની મામીએ સત્કાર કર્યો, અને જમવા બેસાડ્યો; ભાણેજ ચતુર હતુંચારે બાજુ નજર કરીને શીકામાં રહેલ સુખડીને દેખી; જ્યારે તેની મામીએ જાર બાજરીના રોટલા ભાણામાં મુકાયા ત્યારે કહ્યું કે મામી ! શીકામાં સહેલ સુખડી આપ! કેને માટે બનાવી છે તેની મામી મૌન રહી, જવાબ આપે નહીં, અને કચવાતા મનથી સુખડી આપની પડી. તેને ખાને ભાણેજ, મામાની પાસે ખેતરમાં ગયે મામાને સુખશાતાના સમાચાર પુછા, તેના મામાએ પોતાની અવસ્થાની સઘળી બીના કહી. ભાણેજે કહ્યું કે ચિન્તા-ફીકર કરશે નહી. હું તમને સહાય કરીશ! હવે ચાલે, તમારા ઘેર જઈએ, મામાએ કહ્યું, આ જાર પાડી છે, તેના ઉપરથી જારના ઝુંડાએ લેવાના બાકી છે તે લીધા પછી આપણે ઘેર જઈએ; ભાણેજે અકદ કરી તેથી બાકી રહેલા જારના ગુંડાઓને ફાળમાં અને ઘર ભણી ચાલવા માંડ્યું; એ અરસામાં ઘરમાં રહેલી સ્ત્રીઓ પિતાના પ્રેમીને ખુશ કરવા બીજી સુખડી બનાવીને છાની રાખી રાખેલાને બોલાવી જમાડતી હતી; તેવામાં મામા જાણેજને દૂરથી આવતા દેખી ગાસણી; જમતા પ્રેમીને હેરની ઝુંપડીમાં સંતાડ્યો અને તેના ઉપર ઘાસ નાખ્યું; દર આવતા ભાણેજે જાણું લીધું અને ઘરમાં આવ્યા પછી ઘાસની અંદર સંતાઈ For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy