SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૯ અરે મુસાફર સુંદર તલાવડીને દેખીને તે તરફ ક્યાં દોડ્યો જાય છે! કાંઈક વિચાર અને વિવેક લાવીને પગલું ભર! કારણકે હારી પિપાસા-તૃષ્ણા છે તે શાંત થશે નહીં. તેમાં દેખીતું જે પાણી છે તે મલિન છે અને કાદવ ચીકણે ઘણે છે ફસાઈ પડીશ. ૪પલ, માણસાઈને વિકાસ કરવા તેમજ માનસિક શક્તિનો વિકાસ કરવા જે ખોરાક જોઇએ છીએ, તે મુખના માર્ગે મળતું નથી પણ મન દ્વારા મળે છે. જે એમ ન હોય તે પશુ પંખીઓ પણ અનાજથી જીવન ગુજારે છે. તેથી મનુષ્યને પશુ પંખીઓમાં તફાવત રહેશે નહી; જેથી માનસિક ખેરાકની પણ જરૂર રહેવાની જ, માટે તેને શોધી ઉપયોગમાં લે. પશુ પંખીઓને માનસિક બરાક નહી મળતા હોવાથી તેઓ આત્મશુદ્ધિમાં આગળ વધવા શક્તિમાન થતા નથી. કદાચ કેઈ આપે છે તેઓ પણ આગળ વધે. ૪૬. પદયે પ્રાપ્ત થએલ સાધન સામગ્રીને સદુપચોગ થાય તે પાશવતામાંથી માનવતા મળે; માનવતામાંથી દિવ્યતાને આવિર્ભાવ થાય અને દિવ્યતામાંથી પ્રભુતાને પ્રાદુર્ભાવ અવશ્ય થાય માટે મળેલી સાધન સામગ્રીને ખાન-પાન-મેજ મજામાં દુરુપયેગ કરે નહી. મનુષ્યને આત્મિક વિકાસમાં તેમજ આત્મજ્ઞાન અને બલમાં ખરેખરૂં સાધન જે કઈ હોય તે અન્તઃકરણની શુદ્ધિ છે. જે અન્તઃકરણની શુદ્ધિ હોય તે આત્મશુદ્ધિ જરૂર થવાની અન્તઃકરણની શુદ્ધિ સિવાય કરેલી ક્રિયાઓ યથાર્થ ફલ આપી શકે નહી. માટે પ્રથમ તેની શુદ્ધિ કરે. For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy