SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦૬ વ્રતાદિનું પાલન કરીને સુશીલ ખના અને ક્રોધાદિકના ત્યાગ કરવા કાશીશ કરો. સ્વાદ અને સ્વાર્થના ત્યાગ કરેા, અવશ્ય સત્ય લાભની સાથે સત્ય શૈાભા વધશે અને આત્મા સંયમી બનશે. ૩૪૮. જીવન દરમ્યાન એવું શિક્ષણ લેવું કે મરણુ વખતે આત–રૌદ્રધ્યાન થાય નહી. અને પરલેાકની મુસાફરી કરતાં વિશ્નો આવીને ઉપસ્થિતિ થાય નહી. સત્ય શિક્ષણ, તેજ હેવાય કે, જેથી રોદ્ર અને આ ધ્યાનને નિવારી ધર્મ ધ્યાનમાં મસ મનાય. ખરાબ વિચારા કરવા એટલે આ ધ્યાન-અને રોદ્રધ્યાન કરવું તે વિષ-હળાહળ સમાન છે; કારણુ કે સમતાને તથા આરેાગ્યને નષ્ટ કરે છે. અમૃત, તપાસ કરતાં મળે એમ નથી–લાગવગથી કે ખરીદ કરવાથી મળી શકે એમ નથી, એ તે પેાતાની પાસે છે, બહાર શેાધ્યું નહી મળશે. ધર્મ ધ્યાન કરવું તે-માનસિક શુદ્ધિ અમૃત સમાન છે; માટે તેના પર ઉપયાગ રાખા, ૩૪૯. પ્રતિકૂળતા-વિપત્તિઓ આપણને વિચાર અને વિવેક કરતાં શીખવાડે છે અને વિચારપૂર્વક વિવેક કરતાં પ્રતિકૂલતાના—અને વિપત્તિના કારણેાની ખબર પડે છે; ખબર પડતાં તેના કારણેાને ત્યાગવાની બુદ્ધિ ઉપજે છે માટે વિપત્તિમાં હિ'મત–રાખીને વિચાર કરતાં શીખવુ. ૩૫૦. આધિ-વ્યાધિ-અને ઉપાધિઓનું દુઃખ તે ભૂલની શિક્ષા છે, માટે તેવા વખતે હિંંમત હારી બેસવુ' નહી. તેના મૂલ કારણાને તપાસીને તેના ત્યાગ કરવા; આવી પણ શક્તિ તમારા પેાતાનામાં રહેલી છે. For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy