SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૭ સમ્યગ આરાધે ધર્મ, પરમસુખ આપે તેમાં નવાઈ શી? માટે આળસને મૂકીને ધર્મને આરાધ જે. આ લેકમાં જીવિત અસ્થિર છે. અસ્થિર ધન તથા યૌવન છે પુત્ર પરિવાર પણ સ્થિર નથી. આત્મજ્ઞાન સિવાય અન્ય વસ્તુઓ પણ નશ્વર છે એમ સમજી આત્મસ્વરૂપમાં સ્થિર થવું યોગ્ય છે. ૧૪. જ્ઞાનીઓ, કષ્ટ આવે ત્યારે, દેવું ચૂકવું છું, આમ સમજતા હેવાથી તેમને કષ્ટ માલુમ પડતું નથી. અન્ય જીવે અ૫ સંકટ આવતાં, મહાન માની બહુ દુઃખી થાય છે, અને તે સમયમાં ઘણું ચીકણું કર્મોને બાંધે છે. આ રૌદ્રથી એવાં તે ચીકણુ કમેને બાંધે, કે સાગરેપમેના આયુષ્યમાં પણ ખપાવી ન શકે. ૧૯૪. ધર્મની આરાધના કરવાને કાલ, ત્રણે આવસ્થામાં હોય છે પણ યુવાવસ્થામાં, જે કુરશુથી-બુદ્ધિબલથી બની શકે છે તે ધર્મ બાલ્યાવસ્થામાં કે વૃદ્ધાવસ્થામાં બની શકતે નથી; કારણ કે બાલ્યાવસ્થામાં અજ્ઞાનતા હોવાથી જેવી જોઇએ તેવી કુરણુ-લાગણું પ્રાયઃ થતી નથી અને વૃદ્ધાવસ્થામાં, શારીરિક શક્તિ ઓછી થતી હોવાથી ભાવના મુજબ ધર્મની આરાધના અશય પ્રાયઃ બને છે. બાલ્યાવસ્થાના ધર્મના સંસ્કાર યુવાવસ્થામાં ઉગી નીકળે છે, ફલ આપનાર થાય છે, અને વૃદ્ધાવસ્થામાં તેના રસને અનુભવ પ્રાપ્ત થાય છે. માટે યુવાવસ્થાને વિષય વિલાસમાં મુસાફરી કરતી વાળીને ધર્મની આરાધનામાં જવા સદાય પ્રયત્નશીલ બનવું આવશ્યક છે. For Private And Personal Use Only
SR No.008519
Book TitleAntarjyoti Part 2
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1957
Total Pages585
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy