SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંપત્તિ કે આ હેતે પુત્ર-પરિવારનું દુઃખ હોય છે, કેઈને દેવ તરફથી કે સત્તાધારી રાજા મહારાજા તરફથી દુઃખ હોય છે, એટલે આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક દુખથી ઘેરાયેલા નજરે પડે છે, તેના કારણે પાપ સ્થાનકે છે; માટે તેઓને દુઃખ વેઠીને ત્યાગ અવશ્ય કરવા લાયક છે. ત્યાગ સિવાય સુખશાંતિ મળવી તે અશક્ય છે, માટે સ્વાર્થને યથાશક્તિ ત્યાગ કરીને પરમાર્થ માટે કટિબદ્ધ બનવું જોઈએ. તમારે પુણયને પ્રભાવ નજરે નિરખ હોય તે પુણ્યશાલીઓને દેખે, તેઓને પરિચય કરે; પાપબંધમાં કયાં સુધી પડ્યા રહેશો? અને દુખો કયાં સુધી રહ્યા કરશે? અનંતકાલ સુધી તે દુઃખને સહન કરી મનુષ્યભવ તમે પામ્યા છે અને મનુષ્યભવ બહુ દુર્લભ છે, વારે વારે મળ દુશકય છે. સાત-આઠ ભાવ પુનઃ પુનઃ મળે છે. તે તે પુણ્યના તથા પ્રકારના પ્રભાવથી જ, પાયથાનકેના સેવનથી નહી જ; માટે મનુષ્યજન્મ પામીને પાપસ્થાનકોને ત્યાગ કરી પુણ્યના પ્રકારનું સેવન કરે. મનહર અને અનુકૂલ સાધનસામગ્રી મળશે અને ભોની ગણત્રી થશે ઘણે કાલ ભટકવું પડશે નહી. જેઓને આત્માને વિકાસ કરવાનો વિચાર હોય છે, વિકાસ કરીને સત્યશાંતિ-અનંતસુખને મેળવવાની ભાવના હોય છે, તેઓ તે યથાશક્તિ પાપસ્થાનકેને નિવારી પુણ્યના પ્રકારનું સેવન કરીને પુણયમાં વધારે કરતે રહે છે અને પુણયના આધારે પ્રથમ સંઘયણ મળવાપૂર્વક સચ્ચારિત્રના પાલનહાર સંપૂર્ણ આત્મવિશ્વાસ સકાય છે અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરીને તે અક્ષય અને અવ્યાબાધ-અનંત સુખને મેળવે છે, For Private And Personal Use Only
SR No.008518
Book TitleAntarjyoti Part 1
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1955
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy