SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૪૬ ૬૩૧ બરફની માફક ભરયુવાનીને એમળતા વાર લાગતી નથી. તથા સંધ્યાના રંગની માફક મળેલી સંપત્તિને ઓસરતા વિલંબ થતું નથી. તેમજ કરમાએલ પુની માફક જીવનને કસ્માત વખત લાગતું નથી, માટે જ્યાં સુધી જુવાની-સંપત્તિ અને જીવન હોય ત્યાં સુધી પરમાર્થને સાધવા પુરુષાર્થ કરે, તે બુદ્ધિમાનનું કર્તવ્ય છે. ૬૩ર વિષયનું સ્મરણ પણ હાનિકારક છે. વિષયનું સમરણ પણ કોઈ વખતે તેમજ સદાય નુકશાન કરી નાંખે છે. ભણનારને ભૂલાવી ઉન્માર્ગે ઘસડી લઈ જાય છે. જપ તપની આરાધના કરનારને તે વિષયનું મરણ સ્થિર રહેવા દેતું નથી અને ભક્તિમાં–ભજનમાં જે રંગ લાગ્યો હોય તેમાં ભંગ પાવીને હતાશ બનાવે છે. બ્રહ્મચર્યવ્રતને ધૂળધાણું કરાવનાર જે કોઈ હોય તે વિષયેનું સ્મરણ છે. કોઈ પણ કાર્ય કરતી વેળાએ જે વિષયનું મરણ થયું તે તે કાર્ય રીતસર થશે નહી; માટે તેનું સ્મરણ પણ ન ય તે માટે ઘણું ઉપયોગ રાખવાની આવશ્યકતા છે. ચિત્તની સ્થિરતા વિના સારા વિચારો ફરતા નથી અને વિવિધ કાર્યોમાં વિશ આવી ઉપસ્થિત થાય છે. ચિત્તની ચંચળતાને વધારનાર વિષય સમરણ છે માટે તેવા વખતે અનિત્યાદિ ભાવનાને ભાવી, ચંચળ બનેલા મનને સ્થિર કરીને સારા કાર્યોમાં તેને એડવું જોઈએ. સારા નિમિત્તોના આધારે વિષચેનું સ્મરણ થતું નથી. ચક્ષુઓને અને કાનાને દેવ-દર્શનાદિ નિમિત્તોમાં રિયર કરશે કે તેનાથી ખસીને બીજે જ નહિ, તેમજ વિકાર ન થાય, પેટા વિચાર ન આવે તે માટે ખાવા-પીવામાં બહુ સાદાઈ For Private And Personal Use Only
SR No.008518
Book TitleAntarjyoti Part 1
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1955
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy