SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નહી આવે તે જલ્દી પ્રતિપક્ષ વિચાર કરીને તેઓને દૂર કરવા તે આપણું પ્રથમ કર્તવ્ય છે. ૫૪૨. જે શકિતએ આપણને આવા શક્તિશાલી બનાવ્યા છે, તે શક્તિ આપણને આગળ કેમ નહી વધારે? આ વિશ્વાસ ધારણ કરવાથી સુખ-સંપત્તિ અને સત્તા આવી મળે છે, દરેક કાર્યોમાં શ્રદ્ધા ધારણ કરવી પડે છે-તે તમે શું નથી જાણતા ? શ્રદ્ધાના ગે તમારે સઘળા વ્યવહાર ચાલે છે, અને સફલતા તેમાં મેળવે છે–તે પ્રમાણે આત્માની શક્તિ અનંતી આત્મામાં જ છે. આમ શ્રદ્ધા ધારણું કરીને તેને વિકાસ કરવા પ્રયાસ કરશો તે અવશ્ય અનંત શક્તિ આવી મળવાની જ. - વ્યાધિ અને આધિની જે કઈ દવા હોય તે પિતાની પાસે જ રહેલી છે. જે વિષય કષાયના વિકાસને શાંત કરી આત્મસંયમને કેળવવા લગની લગાડે છે, તેઓ આરેગ્ય મેળવવાપૂર્વક આત્મગુણે મેળવવા ભાગ્યશાળી થાય છે. કેઈ પ્રકારની ચિતા-ભય-નિરાશા રહેતી નથી. આત્મસંયમને ઘાત કરનાર જે કઈ હોય તે વિષય વાસના જ છે. જે લે અંશે વિષય વાસના સમ્યગજ્ઞાનપૂર્વક અલ્પ કરવામાં આવે તેટલે અંશે આત્મસંયમને લાભ મળે છે. ક્રોધાદિક પણ વિષયવાસના વડે ઉત્પન્ન થાય છે. જે તમારે આત્મસંયમને ખરેખર લાભ લે હોય તે વિષયવાસનાને કબજે કરે, તેના વશ બને નહી. મહાન સત્તા અને સંપત્તિને ધારણ કરનાર તથા પંડિત હાય તે પણ જે વિષય વાસનાને વશ કરે નહી, તે અનેક આધિ વ્યાધિઓથી ઘેરાય છે, શત્રુ અગર વિષ એક ભવમાં મારે છે, For Private And Personal Use Only
SR No.008518
Book TitleAntarjyoti Part 1
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1955
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy