SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯૮ મનોવૃત્તિથી એ મહત્તા-અખંડતા મેળવીએ છીએ અને ગુમાવીએ પણ છીએ. મનવૃત્તિ, ઉગ્ર બનીને હલકી મનવૃત્તિને દબાવશે ત્યારે જ તે વિજય મેળવશે, ત્યારે જ તેમાંથી પશુતાનીચતા–દીનતા વિગેરે દૂર ખસશે અને માણસાઈની સાથે દિવ્યતાને આવિર્ભાવ થતું રહેશે. પર૬. શ્રીમંતાઈ-દેવતાઈ ઠકુરાઈ આપણુ માટે તૈયાર થઈને ઊભી રહી છે, પણ આપણી અજ્ઞાનતા, અહંતા અને મમતા, તેનાથી આપણને દૂર રાખે છે. આપણે અજ્ઞાનતા અને મૂઢતાને લીધે જ અખૂટ સંપત્તિ-સમૃદ્ધિ-સત્તા આપણું દ્વાર આગળ થઈ ચાલી જતાં તથા આપણે અનંત નિધાનના ઝરાના કિનારે હેવા છતાં ભૂખે મરીએ છીએ-રીબાઈન પીટાઈને આથડીએ છીએ. આપણે કાંઈ સ્વભાવથી સત્તાએ રંક, દીન કે હીન નથી પણ અજ્ઞાનતાએ, અહંકારાદિકે આપણી કડી સ્થિતિ ઊભી કરી છે. આપણી જાતની–આપણું માના ગુણેની કિંમત આપણે સ્વ૫ આંકી છે અને દુન્યવી પદાર્થોની કિંમત અધિક આંકી છે, તેથી આપણે રંક ને હીન બન્યા છીએ. જે આત્માની-આત્મિક કિંમત, દુન્યવી પદાર્થો કરતાં અધિકતર અંકાય તે તેમના તરફ રુચિ જાગે અને રુચિ પ્રમાણે તેને મેળવવા સમ્યગજ્ઞાન અને વર્તન થાય, અને દુન્યવી તરફની રુચિ તદન ટળે, માટે એવું જ્ઞાન અને વર્તન કરે કે ભાભવની ભાવટ ભાગે અને અનંત રદ્ધિ-સિદ્ધિ અને શુદ્ધિના સ્વામી બનાય. પર૭. માણસની બુદ્ધિ ગમે તેવી મહાન હે, મગજ સારું હોય તે પણ ત્યાં સુધી અનંત નિધાનના રાત્રી For Private And Personal Use Only
SR No.008518
Book TitleAntarjyoti Part 1
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1955
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy