SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૩ ડગમગાવે છે અને કઠિન સ્થિતિને પહોંચી વળવાને શક્તિહીન બનાવે છે. મનુષ્ય જે કઈ સાધન દ્વારા કે શસ્ત્ર દ્વારા કોઈ પણ વસ્તુનું આકર્ષણ કર્યું હોય તે તે કેવળ તેનું માનસિક વલણ જ છે; જેવા તેના વિચારો તેવું તેનું મન ભરેલું હશે તે તે કઠિન અને બહુ પરિશ્રમ કરશે તે પણ તે રંકતાનું જ આકર્ષણ કરશે. જો આપણે આપણી આંતરિક દરિદ્રતાને–ગરિબાઈને દિવ્ય વિચારો દ્વારા જીતી શકતા હોઈએ તે, આપણે બાહ્ય ગરીબાઈને-દરિદ્રતાને અલ્પ સમયમાં જીતી શકીશું, કારણ કે આપણે જ્યારે આપણું મનવૃત્તિને-વિચારને બદલીએ છીએ ત્યારે આપણી ભૌતિક સ્થિતિ પણ બદલાઈને અનુકૂલતાને ધારણ કરે છે. જ્યાં સુધી આપણું મને વૃત્તિ-વિચારો ઉન્નતિ તરફ નથી હતા ત્યાં સુધી આપણે ઉન્નતિ તરફ પ્રવાસ કરવા સમર્થ બનતા નથી, માટે ઉન્નતિકારક વિચારોને ભૂલવા નહી. પર૦. શ્રદ્ધાની જાદુઈ કૂચી ખજાનાનું દ્વાર ખેલી નાંખે છે! આગળ વધાતું નથી અને ઈષ્ટ લાભ પ્રાપ્ત થત નથી. આવા વિચારો કદાપિ કરવા જોઈએ નહી, પણ આશાજનક વિચારોને આગળ ધરીને કાર્યો કરતા રહેવું. સારા કાર્યોમાં સફળતા અવશ્ય મળશે. આમ મનહર વિચારેના આધારે મનેહર કાર્ય કરો કે જેથી વખત વૃથા જાય નહી. આપણુ આત્મામાં અનંત શક્તિ ભરી પડી છે. જે શ્રદ્ધા રાખીને જ્ઞાનપૂર્વક વર્તન રાખીએ તે, નિરાશા જેવું કોઈ પણ કાર્ય બને નહી. દરેક ભૌતિક કાર્ય પણ સધાય. રંકતા-દરિદ્રતા, For Private And Personal Use Only
SR No.008518
Book TitleAntarjyoti Part 1
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1955
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy