SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાગ-દ્વેષની વૃત્તિ થાય છે અને તેના વેગે પ્રાણીઓ પિતાના પરિણામ જેવા હોય તેવા પ્રકારના કર્મોના બંધનમાં સપડાય છે પછી ભેગવવા લાયક જ જે બાંધ્યા હોય તે ભોગવ્યા સિવાય તે કર્મોને વિયોગ થતું નથી અને પાછા નવીન કમેને બંધ, પરિણામના વેગે પડતો જાય છે, માટે બંધ વખતે ખાસ સાવધાન રાખવાની આવશ્યકતા છે? વસતુઓને વિચાર કરીને રાગ-દ્વેષ નહી થાય તે સમતા રહેશે અને કર્મોના બંધને છૂટવા માંડશે. ૨૭૯, વિદ્વત્તા-વાપટુતા અને સમયસૂચકતા આ ત્રણ ગુણવડે પંડિતે શેલે છે. અને માન-સત્કારને મેળવે છે; તે સિવાય તેઓની પંડિતાઈ શેભતી નથી. પંડિતમાં વિદ્વત્તા હાય એટલે તે શાસ્ત્રને જ્ઞાતા હોય; પણ વાકપટુતા–બલવાની ચતુરાઈ–કુશળતા જે ન હોય તે ભાષણ કરતાં કે વ્યાખ્યાન કરતાં તેઓનું ભાષણ કે વ્યાખ્યાન, રસજનક નિવડતું નથી અને શ્રોતાઓમાં અરુચિતા જન્મે છે એટલે વિદ્વત્તા સાથે વાક્પટુતાની પણ જરૂર છે. વિદ્વત્તાની સાથે વાક્પટુતા હોય પણ સમયસૂચકતા એટલે આ સભા કેવી છે? કેટલું પચાવી શકે છે અને કેવા પ્રકારનું વ્યાખ્યાન આપવું? તે જે ન જાણતા હોય તે પણ મૂર્ખ ઠરે છે અને શ્રોતાજનેમાં હાસ્યાસ્પદ થાય છે, માટે પ્રથમ કહેલાં ત્રણે ય ગુણેની જરૂર છે. આ ત્રણે ગુણે હિય, અને સભાજનેમાં આદરભાવ ઉત્પન્ન કરવાની તાકાત હાય, સભાજનોને પણ આદરભાવ-માન-સન્માન હોય અને શ્રોતાજનને ઉપદેશદ્વારા ખુશી કરતે હોય પરંતુ વર્તનમાં ને શૂન્ય હોય તે આદરભાવને પંડિત પામતું નથી અને For Private And Personal Use Only
SR No.008518
Book TitleAntarjyoti Part 1
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1955
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy