SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક વાતને નશો છે. નશાવાળા માનવીને સારાસારની સમજણ પડતી નથી. ૯૦. સગાં સ્વબંધુઓમાં તથા જ્ઞાતિજને અને સમાજમાં તેમજ રાષ્ટ્રમાં વિચારભેદ તથા હૃદયભેદ પડાવી સ્વકાર્ય સાધનારાઓ ભલે ખુશી થયા હોય કે ખુશી થતા હોય પણ તેનું પરિણામ કષજનક આવ્યા વિના રહેતું નથી. કારણ કે ભેદ પડાવવામાં ઈષ્ય-કપટ-તથા પડાવી લેવાની ઈચ્છા રહેલી હોય છે. આવા દેશેનું પરિણામ કદાપિ સુખ જનક બનતું નથી. કદાચ આ ભવમાં પુર્યોદયે તેનો વિપાક માલુમ પડે નહી, પણ પરલેકમાં તેની ભયંકરતા તથા દુઃખજનક્તા જશે ની સાંસારિક વિષયેની આસક્તિ જ આવા ભેદ પડાવવામાં ખરેખર પિતાને ભાવ ભજવતી હોય છે. આસક્તિ સિવાય કષ્ટદાયક ભેદે પડાવવાની ભાવના થતી નથી. આ લેકમાં કે પરલેકમાં કષ્ટ ભેગવવાને અવસર આવે નહીં તે માટે પરિ. ણામને સારી રીતે વિચાર કરીને એકતાનું રક્ષણ થાય અગર ઐકય દૃઢ થાય તે માટે પ્રયાસ કરવાની અગત્યતા છે. ભેદ પડાવીને મહત્તા મેળવશે તે પણ તે મહત્તા તમને સુખેથી જંપવા દેશે નહી, વિવિધ ભયે ઉપસ્થિત કરીને ચિન્તાની હોળીમાં ફસાવશે અને પાપને ઉદય થતાં તે મળેલી મહત્તા ભારરૂપ બનશે, માટે વિચાર-વિવેક લાવી જે તમને પ્રાપ્ત થએલ છે તેમાં સંતોષ રાખી મૈત્રીભાવના ભાવે કે જેથી ઈચ્છ-કપટ, અન્યનું પડાવી લેવાની વૃત્તિ થાય નહી અને એકતા સીવાય. વિચારભેદ પડાવવાથી મનભેદ અને હૃદયભેદ પડતો હોવાથી કંકાસ-લડાઈ મારામારી થાય, તેમાં શું લાભ? For Private And Personal Use Only
SR No.008518
Book TitleAntarjyoti Part 1
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1955
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy