SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ મનરૂપી સુનીમજીની તથા પાંચ ઇન્દ્રિયારૂપી ગુમાસ્તાની પ્રવૃત્તિએ સતત નિહાળ્યા કરે તે તે મન અને ઇન્દ્રિયા શુ કામ કરે છે? સાંપેલુ કાર્ય કરે છે કે અન્યત્ર પ્રવૃત્તિ કરે છે ? તે જરૂર માલુમ પડે અને અન્ય પ્રવૃત્તિઓથી નિવારી શકાય. મન તાટ્ટાને ચઢે નહી તેમજ આત્માને સહકાર આપી શકે. શેઠ પેાતે જે બીજે ભમતા હાય તા મુનીમજી તથા ગુમાસ્તા વશમાં રહે નહી અને ધારેલ કાર્ય સાધી શકે નહી, માટે આત્માએ સ્વકાર્ય સાધવા માટે પ્રથમ હૃદયમાં સ્થિર થઈને ષ્ટિને, મનને અને ઇન્દ્રિયાને કબજે કરવા સ્થિર કરવી જોઇએ; તા જ મન અને ઇન્દ્રિયા વશવર્તી બની સેવકરૂપે થાય છે—આત્માએ મન અને ઇન્દ્રિયાને કબજે કરી તેમને સેવક અનાવવા જોઇએ પણ પાતે સેવક બનવું ન જોઇએ. જે આત્મા સ્થિરતા ધારણ કરીને સ્થિર દષ્ટિએ જોયા કરે તેા મન-ઇન્દ્રિયાનું એટલુ જોર નથી કે કબજે આવે નહી-અને પોતાના કહ્યા પ્રમાણે વતે નહી. આત્મિકશક્તિ આગળ તે આપોઆપ નમી પડે છે અને આત્મિવિકાસમાં કાંઇક સહકાર આપતા રહે છે, માટે આત્માને હૃદયસ્થ કરો. માહ્ય પ્રવૃત્તિઓને દૂર કરીને સ્થિર નજર કરી, આપે આપ અનંત ઋદ્ધિ—સિદ્ધિના સ્વામી ખનશે. કાઈ પ્રકારે દીનતા—હીનતા લેશમાત્ર રહેશે નહી અને અનંતસુખને અનુભવ આવશે. ભાવનાને ભાવી–સ્થિર થયેલ આત્માને અન્યપ્રવૃત્તિમાં પડવુ' પણ ગમશે નહી; માટે ભાવનાને ભાવી આત્માને જ્ઞાનગર્ભિત પ્રથમ બનાવવા જરૂરી છે; તે સ્થિર થતાં સઘળાં કા* સફલ થતાં વિલ ખ લાગશે નહી અને ક્રિયા પણ સલ થશે. For Private And Personal Use Only
SR No.008518
Book TitleAntarjyoti Part 1
Original Sutra AuthorN/A
AuthorKirtisagarsuri
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1955
Total Pages484
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy